વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ - latest news of vapi
વાપીના વિવિધ સ્લમ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી દરમિયાન સેવાની સરવાણી વહાવનાર બિહાર વેલફેર એસોસિયેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા ફરીવાર 700 જેટલા ગરીબ, વિધવા વિકલાંગ પરિવારોમાં અનાજની કીટ આપવામાં આવી હતી.
![વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8904172-351-8904172-1600841914296.jpg)
valsad
વાપીઃ વાપીમાં કોરોના મહામારીમાં અનેક ગરીબ પરિવારોના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. ત્યારે આવા પરિવારોને મદદરૂપ થવા માટે બિહાર વેલફેર એસોસિયેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાપીમાં ભડકમોરા, ગીતાનગર, ચણોદ, છીરી સહિતના વિસ્તારોમાં ગરીબ પરિવારોને બે ટંકનું ભોજન મળી રહે તે માટેનો આ પ્રયાસ હોવાનું સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું.
વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ