ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીની આર.કે.દેસાઇ કૉલેજ ખાતે જિલ્લાના યુવાનો માટે જોબફેર યોજાયો

વલસાડઃ જિલ્લાના વાપીની આર.કે.દેસાઇ કૉલેજ ખાતે રોજગાર કચેરી, વલસાડ, ધરમપુર, નવસારી અને આહવા-ડાંગના સંયુક્‍ત ઉપક્રમે જિલ્લાના યુવાનો માટે મેગા જોબફેર યોજાયો હતો. આ જોબફેર માટે 11,912 ઉમેદવારોને બોલાવવામાં આવ્‍યા હતા. જે પૈકી 1,982 ઉમેદવારો હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ઉપસ્‍થિત 77 નોકરીદાતાઓ દ્વારા 716 ઉમેદવારોની રોજગારી માટે જ્‍યારે 230 ઉમેદવારોની એપ્રેન્‍ટીસશીપ માટે પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. આ જોબફેરનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરના હસ્‍તે મંગલદીપ પ્રગટાવી કરાયો હતો.

By

Published : Dec 22, 2019, 9:56 AM IST

vapi
વાપીમાં કલસ્‍ટર મેગા જોબ ફેરમાં 716 ઉમેદવારોને રોજગારી માટે 230ને એપ્રેન્‍ટીસશીપમાં પસંદગી કરાઈ

આદિજાતિ વિકાસ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે દરેક રોજગાર વાંચ્‍છુઓને સારી જગ્‍યાએ નોકરી મળે તેવી શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યના દરેક યુવાનોને રોજગારી મળે તેવો રાજ્‍ય સરકારનો અભિગમ છે. જેને અનુલક્ષીને દર બે માસે ભરતી મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. જેમાં હજારો યુવાનોએ રોજગારી મેળવી છે.

પાટકરે કૌશલ્‍ય, હોશિયારી અને આવડત હોય તો કોઇપણ વ્‍યક્‍તિ આગળ વધી શકે છે, તેમ જણાવી કંપનીમાં કામદાર તરીકે નહીં પરંતુ પોતાની કંપની માનીને શિસ્‍તતા અને પ્રમાણિકતાથી કામ કરવા અનુરોધ કર્યો હતો. જીવનમાં આગળ વધવા માટે સમયપાલનની સાથે દરેક પ્રકારની આવડત હોવી જોઇએ. દરેક વ્‍યક્‍તિ નોકરી મેળવવાની જ આશા ન રાખતા પોતાના કૌશલ્‍યને અનુરૂપ પોતાના ગામમાં સ્‍વરોજગાર શરૂ કરવો જોઇએ. જેના થકી અન્‍યને પણ રોજગારી આપી શકાય. યુવાનોને નોકરી પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર છે. વાઇબ્રન્‍ટ ગુજરાતમાં કરાયેલા એમ.ઓ.યુ થકી અનેક મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, ત્‍યારે વધુમાં વધુ યુવાનોને રોજગારીની તક મળી રહેશે.

વાપીમાં કલસ્‍ટર મેગા જોબ ફેરમાં 716 ઉમેદવારોને રોજગારી માટે 230ને એપ્રેન્‍ટીસશીપમાં પસંદગી કરાઈ
ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક ડી.કે.વસાવાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, નોકરીદાતાઓને સારો ઉમેદવાર મળે અને ઉમેદવારોને સારી નોકરી રહે તેવા પ્રયાસો રહ્યા છે. ઉમેદવારોએ તેમને મળેલી નોકરીની તક સહર્ષ સ્‍વીકારી લેવી જોઇએ.એપ્રેન્‍ટીસ એડવાઇઝર એસ.એમ.શોભાએ એપ્રેન્‍ટીસ યોજના અંગે વિસ્‍તૃત જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આઇ.ટી.આઇમાં એન.સી.વી.ટી પ્રમાણપત્ર મળે છે, જે આંતરરાષ્‍ટ્રીય લેવલે પણ કામ આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details