બનાસકાંઠા: સમગ્ર દેશમાં હાલ લોકડાઉન છે. આ લોકડાઉનમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે. તેવા થેલેસેમીયા અને બ્લડ કેન્સર પીડિત લોકો માટે બ્લડની ખૂબ મોટી જરૂરિયાત હોય છે.
રવિવારે રૂપપૂરા ગામે જન મિત્ર ગ્રુપના સદસ્ય હાર્દિક ભાઈ ચૌધરીએ મધર ડે નિમિત્તે કોરોના મહામારી અને લોકડાઉનમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સાવચેતી અને ડિસ્ટન્સ રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
કોરોના વાઈરસના ફેલાવાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં થેલેસેમીયા રોગ અને બ્લડ કેન્સરથી પીડાતા દર્દીઓની હાલત કફોડી બની છે. કેમ કે, થેલેસેમીયાના દર્દી અને બ્લડ કેન્સર દર્દીઓ બ્લડ દર પંદર દિવસે બદલવામાં આવતું હોય છે. લોકડાઉનની પરિસ્થિતિમાં દર્દીને બ્લડ મેળવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.