- ઉમરગામના માલખેત ગામેથી Atmanirbhar Gram Yatra નું પ્રસ્થાન
- નવા બનેલા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું
- ગામના વિકાસના કામોમાં ગામલોકો પણ નજર રાખે: Raman Patkar MLA
ઉમરગામ : રાજ્યમાં 18મી નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન તમામ જિલ્લામાં અને તાલુકા મથકે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ( Atmanirbhar Gram Yatra ) આયોજન થયું છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના માલખેત ગામે ધારાસભ્ય રમણ પાટકર ( Raman Patkar MLA ) અને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવી ગ્રામપંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગામના વિકાસના કામોમાં સરપંચ ઉપરાંત ગામના લોકો પણ પોતાની જવાબદારી નિભાવે અને તકલાદી કામો પર નજર રાખે તેવું આહ્વાન પાટકરે કહ્યું હતું.
ગ્રામપંચાયતના ગ્રામ સચિવાલયનું લોકાર્પણ
ઉમરગામ તાલુકાના માલખેત ગામેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ( Atmanirbhar Gram Yatra )રથનું ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો, ગામના સરપંચ અને ગામલોકોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માલખેત ગ્રામપંચાયતના ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે ગામના લાભાર્થી ખેડૂતો, વિદ્યાર્થીઓને કીટ અને આઈ કાર્ડનું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.
આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય રમણ પાટકરે ( Raman Patkar MLA ) જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના તાલુકામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાની ( Atmanirbhar Gram Yatra ) શરૂઆત કરી છે. 1995માં કેશુભાઈએ જાહેર કરેલ ગોકુળ ગામની તર્જને આગળ લઈ જવા આ યાત્રાનો ઉદેશ્ય છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના તમામ 53 ગામમાં વિકાસ થયો છે. આંગણવાડી, શાળા, રસ્તાઓ અને પીવાના પાણીની સુવિધા ગામ લોકોને મળી છે. દરેક ગામ આત્મનિર્ભર ગ્રામ બન્યું છે.
ગુણવત્તાયુક્ત કામ માટે તેના પર નજર રાખો