વલસાડ : હાલ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન (Ahmedabad Shatabdi Mohotsav) કરવામાં આવ્યું છે. જ્યાં અનેક જગ્યા પરથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે કપરાડા તાલુકાના વારણા ગામેથી લક્ઝરી બસ વહેલી પરોડીએ અમદાવાદ જવા નીકળેલી હતી. ભક્તો ભરેલી બસ કાપરીયા ગામે જલારામ મંદિરના પિલરમાં ભટકાતા બસમાં સવાર પ્રવાસીઓ પૈકી 8 લોકોને ઇજાઓ પહોંચી છે, જ્યારે બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. (Shatabdi Mahotsav coming Bus accident)
56 પ્રવાસઓ લકઝરીમાં ભર્યા હતાઅમદાવાદ ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના શતાબ્દી મહોત્સવમાં સેલવાસના મંદિરમાં સેવા આપનાર અનેક સેવકો જેઓ ગુજરાતમાં રહે છે. તેમને લઈ જવા માટે કપરાડા તાલુકાના વારણા ગામેથી 56 લોકો ભરેલી બસ અમદાવાદ જવા માટે રવાના થઈ હતી. બસ ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં હોવાનું પહેલા કેટલાક લોકો જાણી ચૂક્યા હતા. છતાં બસ ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અને અંભેટી નજીક કાપરિયા ગામે ત્રણ રસ્તા ઉપર વળાંક નહીં કપાતા. બસ ચાલકે રોડ નજીક બનેલા જલારામ મંદિરના એક તરફના પિલરમાં ધડાકા ભેર અથડાવી દીધી હતી. (Bus accident at Kaparia village)
8 લોકોને સામાન્ય ઇજાઓબસમાં સવાર 56 લોકો પૈકી 8 લોકોને નાની મોટી ઈજાઓથઈ હતી. તમામ લોકોને સારવાર માટે નાનાપોઢા ખાતે આવેલી ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સમગ્ર બસનું આયોજન અને સંચાલન જેમના હાથમાં હતું. તે ધીરુ મુળા નામના વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી. તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનામાં અંબેટી કાપરીયા ખાતે આવેલા જલારામ મંદિરનો એક તરફનો ભાગ પણ નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ બસની કેબીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. (varna village luxury bus accident)