ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાચગામના સાંઈ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન - Sai Mandir

પારડી તાલુકામાં અંબાચ ગામે આમલી ફળિયામાં શ્રી સાઈ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી સાઈબાબાના મંદિર બનાવવાની કામગીરીને વિરામ આપવામાં આવ્યો હતો. લોકોના સહયોગ અને કેટલાક દાતાઓના દાનના સહયોગથી આ મંદિર હાલ બનીને તૈયાર થઈ ગયું છે. આ અંતર્ગત સાંઈ મંદિર ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિરડીમાં જે પ્રમાણે પ્રતિમા મૂકવામાં આવી છે, એ જ પ્રમાણેની પ્રતિમા આ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.

A three-day Prana Pratishtha mahotshav was organized at Sai Mandir
સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

By

Published : Feb 25, 2020, 7:44 PM IST

વલસાડઃ પારડી તાલુકાના અંબાચ ગામે આમલી ફળિયામાં શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે. આ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના દ્વારા શીરડી ખાતે પદયાત્રા કરીને બાબાના દર્શન કરવા જાય છે. સ્થાનિક યુવકોએ છેલ્લા સાતથી આઠ વર્ષથી અહીં બાબાનું મંદિર બને એ માટે તૈયારીઓ કરી રહ્યા હતા.

સાંઈ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

લોકોના દાન અને આર્થિક સહયોગ બાદ હાલ આ સાંઈ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સોમવારે કરવામાં આવ્યો હતો.

સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મંગળવારે દ્વિતીય દિવસે અંબાજી આમલી ફળિયાથી સાંઈબાબાની પ્રતિમા સાથે એક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

આ કાર્યક્રમમાં બાઈક, કાર અને ડીજેના તાલ સાથે નીકળેલી આ નગરયાત્રા આમલી ફળિયા, પટેલ ફળિયા, વાઘસર ફળીયા થઈને અંબાચ ચાર રસ્તા સુધી પહોંચી હતી. જે બાદ આ નગરયાત્રા પરત આમલી ફળિયા સહાય મંદિરેથી નીકળેલી આ યાત્રામાં આસપાસના ગામોના ભાવિક ભકતો મોટી સંખ્યામાં ડીજેના તાલ પર ઝૂમ્યા હતા.

સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ભાવિક ભકતો જોડાયા હતા

સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ઉલ્લેખનીય છે કે, યુવક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા મુજબ શિરડીમાં સાંઈબાબાની જે રીતની પ્રતિમા છે, એ જ રીતની પ્રતિમા અંબાચના આમલી ફળિયામાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ કારણે સાંઈ ભકતોમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details