ગુજરાત

gujarat

ETV Bharat / state

Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો - Western Railway

વડોદરા શહેરમાં કોરોનાના કેસ ( Corona case in Vadodara )રોકેટગતિએ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના(Western Railway ) વડોદરા ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના (Railway platform tickets )દર વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. આ દરો 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો
Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

By

Published : Jan 12, 2022, 4:01 PM IST

વડોદરાઃશહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ( Corona case in Vadodara )રહ્યો છે. જેને લઈને પશ્ચિમ રેલવે(Western Railway ) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ પર ભીડ એકથી ન થાય તેને લઈને પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 કરવામાં આવ્યો છે. જ્યારે આણંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર દર 20 અને અન્ય સ્ટેશનો પર દર 10 કરવામાં આવ્યા છે. જેનો આજથી પ્રારંભ થયો છે. આ દરો 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

વડોદરા રેલવે સ્ટેશન

અનધિકૃત વ્યક્તિઓનું કરાયું ચેકીંગ

વડોદરા રેલવે સ્ટેશન પર સ્ટેશન(Vadodara Railway Station)ડાયરેકટર એસ. એસ. મીના, રેલવે પોલીસ ફોર્સ, કમર્શિયલ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં રેલવે પ્લેફોર્મ પર કોઈ અનધિકૃત વ્યક્તિ પ્રવેશી નથી તે અંગે ચેકીંગ શરૂ કરાયું હતું અને આવી કોઈ વ્યક્તિ જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનું સ્ટેશન ડાયરેકટર એસ. એસ. મીનાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃએશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે સવિતા

રેલવે પ્લેટફોર્મ ટીકીટ કરતા નજીકના સ્ટેશનોએ જવાના દર ઓછો

વડોદરાના રેલવે પ્લેટફોર્મની ટિકિટના દર રૂ. 30 કરવામાં આવ્યા છે. જોકે, વડોદરાથી નજીકનાસ્ટેશનોએ જવાના ટિકિટના દર ઓછા છે. ત્યારે પ્લેટફોર્મ ટીકીટની જગ્યાએ નજીકના સ્ટેશનની ટીકીટ લઈને કોઈ વ્યક્તિ પ્રવેશે નહીં તેની પણ પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આવા કોઈ વ્યક્તિ ઝડપાશે તેની સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃUP Assembly Election 2022 : BSP માયાવતીના જન્મદિવસ પર ઉમેદવારની જાહેરાત કરશે

ABOUT THE AUTHOR

...view details