જોકે આ કામગીરી બાદ સર્વે પુરો થયા બાદ એનર્જી ઓડિટરની મદદથી એક રિપોર્ટ તૈયાર કરાશે. જેના આધારે કઈ ફેકલ્ટીમાં કયા પ્રકારના ઉપાયો કરવાથી વીજળીનો વપરાશ ઘટાડી શકાય તેની જાણકારી મેળવી શકાશે. જેથી વિજળીનો ઉપયોગ અને વેડફાટ પર નિયત્રંણ મેળવી શકવામાં આ સર્વે ઉપયોગી સાબિત થશે.
વડોદરા MSU યુનિ.માં વિભાગ પ્રમાણે એનર્જી ઓડિટ કરાશે - Gujarat
વડોદરાઃ સામાન્ય રીતે ઓફિસો કે કચેરીઓ અને સંસ્થાઓમાં વીજળી બચાવવા માટે કોઈ પગલા લેવામાં આવતા નથી. સરકારી કચેરી અને મોટી સંસ્થાઓમાં રામ રાજયને પ્રજા સુખી જેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ દિશામાં પહેલ કરી છે અને યુનિવર્સીટીની કઈ કઈ ફેકલ્ટી કેટલો વિજ વપરાશ કરે છે, તેની સર્વે દ્વારા માહિતી મેળવશે.
વડોદરા MSUમાં કેમ્પસમાં કઈ ફેકલ્ટીનો કેટલો વીજ વપરાશ છે તે જાણવા માટે પ્રથમ વખત એનર્જી ઓડિટ કરાશે
વડોદરા યુનિવર્સીટી ખાતે વીજ વપરાશ ઘટાડવા માટે પહેલી વખત એમ.એસ.યુનિવર્સીટીમાં એનર્જી ઓડિટયુનિવર્સીટીની ફેકલ્ટીઓ આર્ટસ, કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી, લો, હોમસાયન્સ, સોશ્યલ વર્કનો સર્વે કરી ચુક્યા છે. હાલમાં પોલિટેકનિકમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. જે આગામી દિવસોમાં પુર્ણ કરવામાં આવશે.