વડોદરાશહેરના ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના નિયમાનુસાર આજવારોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા પર બે બ્રિજ બનાવવામાં (Vadodara Ajwa Road Bridge)આવશે. 40 મીટર રીંગરોડ પર વૃંદાવન ચાર રસ્તાથી ખોડિયાર નગર સુધી રોડની મધ્યમાંથી પસાર થતી 66 kvની હાઇ ટેન્શન લાઈન ઓવર બ્રિજની કામગીરીમાં નડતર રૂપ થતી હોવાથી તેને શિફ્ટ કરવામાં આવશે. જે લાઈન શિફ્ટ કરવા રૂપિયા 15.20 કરોડનો ખર્ચ થશે. સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં ગેડા સર્કલથી લઈને મનીષા ચોકડીનો બ્રિજ 5 વર્ષે પણ પૂર્ણ થઈ (Bridge work in Vadodara)શક્યો નથી અને પાલિકા માટે તેને પૂર્ણ કરવો બોજો છે. હવે પાલિકા બીજા બે બ્રિજ કેમના બનાવશે તે( Vadodara Municipal Corporation)એક સવાલ છે.
નગરપાલિકાને રૂપિયા 27 કરોડનો ખર્ચોશહેરમાં છેલ્લા પાંચ વર્ષથી બની રહેલા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના રૂપિયા 100 કરોડ હજી સરકારે આપ્યા નથી. આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન જંકશન પર બનનારા બે અલગ અલગ બ્રિજ માટે સરકારે 91 કરોડની લોલીપોપ આપી છે. જેમાં વડોદરા મહા નગરપાલિકા માટે રૂપિયા 27 કરોડનો ખર્ચો આવશે. અગાઉ શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. જેનો ખર્ચ રૂપિયા 130.87 આંકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઅમદાવાને મળશે વધુ એક અંડર બ્રિજની ભેટ