- 87 વર્ષથી ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ
- 1927માં રાજમહેલ ખાતે મૂર્તિ બેસાડવાની શરૂઆત થઇ
- રાજમહેલ ખાતે તેજ સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમાં બેસાડવામાં આવે છે
વડોદરા:શહેરના રાજમહેલ ખાતે રાજવી પરિવાર દ્વારા બેસાડવામાં આવતી ગણેશજીની મૂર્તિ ચૌહાણ પરિવારના ત્રણ ભાઈઓ દ્વારા બનાવવામાં આવે છે. લગભગ 87 વર્ષથી આ જ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.
ગણેશજીની પ્રતિમાં અંગે ચિત્ર તૈયાર કરવામાં આવ્યું
1927માં રાજમહેલ ખાતે જ્યારે ગણેશજીની મૂર્તિ બેસાડવાની શરૂઆત થઈ ત્યારે તેઓના પિતા દ્વારા તે મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી, ત્યારબાદ મહારાજા દ્વારા કાશીથી પંડિતો તથા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા હતા અને વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાં કેવી હોવી જોઈએ તથા તેનો રંગ કેવો હોવો જોઈએ તે અંગે ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:આણંદ: બાળકીએ બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે ખાસિયત