શહીદ જવાન આરીફ પઠાણના પાર્થીવ દેહને ચુસ્ત બંદોબસ્ત સાથે વતન લવાશે - આરિફ
વડોદરા: વીર શહીદ આરિફનો પાર્થીવ દેહ મંગળવારના રોજ વડોદરા લવાશે. ત્યારે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટથી નવાયાર્ડ સુધી VVIP બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરમાં આતંકી સામેની અથડામણમાં જવાન આરિફ શહીદ થયો હતો.

Martyr Arif pathan
આરિફના મૃતદેહને જ્યારે એરપોર્ટથી લઇ જવાશે ત્યારે રૂટ પરના એક તરફના રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. તમામ નાકા પણ સીલ કરવામાં આવશે. આ ઉપરાંત આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે ત્યારે પણ પોલીસ હાજર રહેશે. જ્યારે, અંતિમયાત્રામાં પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. જો કે શહીદ જવાનના પાર્થીવ દેહને કેટલા વાગે વડોદરા લવાશે તેની કોઈ માહિતી પ્રાપ્ત નથી. પરંતુ બપોર બાદ વડોદરા લવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.