ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2022: ઉત્તરાયણમાં આપણી મજા અન્ય માટે સજા ન બને તેનું ધ્યાન રાખીએ - Celebration of Uttarayan Parva on 14th January

ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા કેટલાક (Celebrating the festival of Uttarayan )લોકો અને પક્ષીઓ માટે મોતની સજા સાબિત બની જતી હોય છે. ત્યારે હાલ બજારોમાં ઉત્તરાયણની ઉજવણીની તૈયારીઓ(Makar Sankranti 2022) થતી જોવા મળી રહી છે. ઉતરાયણના પર્વ અગાઉ જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા પક્ષીઓને ઈજા ન (First aid to injured birds in the forest department)પહોંચે તે રીતે પતંગ ચગાવવાની અપીલ કરવામાં આવી છે.

Makar Sankranti 2022: ઉત્તરાયણમાં આપણી મજા અન્યને સજા ન બને તેનું ધ્યાન રાખીએ
Makar Sankranti 2022: ઉત્તરાયણમાં આપણી મજા અન્યને સજા ન બને તેનું ધ્યાન રાખીએ

By

Published : Jan 7, 2022, 5:35 PM IST

Updated : Jan 7, 2022, 6:54 PM IST

વડોદરાઃ આગામી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી (Celebration of Uttarayan Parva on 14th January)કરવામાં આવશે. ત્યારે ઉતરાયણના પર્વ અગાઉ જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગ ચગાવવાની અપીલ કરવામાં આવી છે. તો સાથે સાથે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પક્ષીઓને ગંભીર ઈજા પહોંચતી હોવાથી તેનો ઉપયોગ નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

સવારે 7 થી 9માં પતંગ નહીં ઉડાવવા અપીલ

GSPCA સંસ્થાના રાજેશ ભાવસારે શહેરીજનોને સવારે 7 થી 9ના ગાળામાં પતંગ નહિ ઉડાવવા અપીલ (First aid to injured birds in the forest department)કરવામાં આવી છે. કેમકે આ સમયે પક્ષીઓ માળામાંથી બહારઆવતા હોવાનું જણાવ્યું હતું. તો સાંજે 5 થી 7ના ગાળામાં પક્ષીઓ ઘરે પરત ફરતા હોઈ આ સમયે પણ પતંગ(Makar Sankranti 2022) નહીં ઉડાવવા જણાવ્યું હતું.

ઉત્તરાયણમાં આપણી મજા

3 સરકારી દવાખાનાઓમાં પક્ષીઓની થશે સારવાર

વડોદરા શહેરના પોલીટેક્નિક પાસે આવેલા સરકારી દવાખાને ઉપરાંત ફતેપુરા અને વન વિભાગમાં ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવશે. તેની સાથે સાથે વડોદરા શહેરની 45 જગ્યાએ હંગામી ધોરણે પક્ષીઓની સારવાર માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે. જ્યાં ઇજાગ્રસ્ત પક્ષીઓને પ્રાથમિક સારવાર અપાશે. જ્યાંથી જરુંર લાગશે તો વધુ સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવશે.

આ પણ વાંચોઃThird Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આજકાલ ટ્રેડ વધ્યો છે. જેને લઈને પક્ષીઓ તો ઠીક નાગરિકોને પણ ગંભીર ઈજાઓ પહોંચે છે. જેને લઈને જ્યાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વહેચાતી હોય તેની પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કેમકે ચાઈનીઝ દોરીથી પક્ષીઓની પાંખ પણ કપાઈ જતી હતી. જેને લઈને પછી તે ક્યારેય ઉડી શકતા નથી.

આ પણ વાંચોઃOnline Education In School: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે જીતુ વાઘાણીને પત્ર લખ્યો, ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ

Last Updated : Jan 7, 2022, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details