ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના કલાવિદ જ્યોતિ ભટ્ટને રાષ્ટ્રપતિ દ્રારા પદ્મશ્રી સન્માન એનાયત

વડોદરાઃ કલાનગરી વડોદરાના અનેક કલાકારોએ દેશ-દુનિયામાં ખ્યાતી મેળવી હંમેશા શહેરનું નામ રોશન કર્યુ છે. ત્યારે વિવિધ કલા અને આયામોમાં સિધ્ધહસ્ત વડોદરાના કલા દિગ્ગજ જ્યોતિ ભટ્ટને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.

By

Published : Apr 17, 2019, 2:54 AM IST

Updated : Apr 17, 2019, 3:03 AM IST

જ્યોતિ ભટ્ટ પદ્મશ્રી સન્માન મેળવનાર

જ્યોતિ ભટ્ટનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેઓ આ એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી જઇ શક્યા ન હતા. તેથી રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે તેમના નિવાસસ્થાને જઇને મુલાકાત લીધી હતી. અને ભારતના રાષ્ટ્રપતિ વતી પદ્મશ્રી પુરસ્કાર પ્રદાન કર્યો હતો. તેમણે જ્યોતિભાઇની કલા સાધનાને બિરદાવીને પ્રશાસન તરફથી અભિનંદન પાઠવ્યા હતા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિ ભટ્ટને રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું પદ્મશ્રી સન્માન

કલાના ઉપાસક જ્યોતિભાઇ ભટ્ટની કલા સિધ્ધિઓ અને કલાને સમર્પિત જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે. સંગીતા સિંધે જણાવ્યું હતું કે, જ્યોતિ ભટ્ટના રાષ્ટ્રીય સન્માનથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ભટ્ટે આટલા ઉચ્ચત્તમ કલાવિદ હોવા છતાં, તેમનું સૌજન્ય અને સાદગીભર્યુ જીવન કંઈક અનોખો પ્રભાવ પાડે છે. ભારતનું પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક જનજાતિ અનોખી કલાસમૃધ્ધિ ધરાવે છે, તેથી આ કલાકારોને પીઠબળ આપીને કલાને જીવંત રાખી શકશે.

જ્યોતિ ભટ્ટને રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું પદ્મશ્રી સન્માન
Last Updated : Apr 17, 2019, 3:03 AM IST

ABOUT THE AUTHOR

...view details