ગુજરાત

gujarat

By

Published : Dec 5, 2022, 6:29 PM IST

ETV Bharat / state

લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના દર્દી માટે આ છે પવિત્ર મતની કિંમત

અવસર લોકશાહીનો હોસ્પિટલના બેડથી મતદાન (Gujarat Assembly Election 2022) મથક સુધીની યાત્રા લોકશાહીના ચેતનાના ધબકારે હૃદય હુમલાની સારવાર લેતા વિજયભાઈ (Heart attack patient) પવારે મતદાન કર્યું છે. ત્રણ દિવસ પહેલા હૃદય રોગનો હુમલો આવ્યો, આજે એમ્બ્યુલન્સથી મતદાન મથકે પહોંચી નૈતિક ફરજ અદા કરી હતી. જે એક મિશાલ છે. પોતાનો મતઅધિકાર અદા કરતા આ વ્યકિતને પોતાની નૈતિક ફરજ છે આટલું માન કે તે મત આપવા અડગ રહ્યો હતો.

લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના દર્દી માટે આ છે પવિત્ર મતની કિંમત
લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના દર્દી માટે આ છે પવિત્ર મતની કિંમત

વડોદરાશહેરના માંજલપુર વિસ્તારમાં (Manjalpur area of Vadodara) આવેલી સ્કૂલના મતદાનમથકના (Second Phase Voting) પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા 56 વર્ષીય વિજયભાઈ પવાર એમ્બ્યુલન્સ અહીં કેમ? એ સવાલ સૌ કોઈને મૂંઝવતો હતો. પરંતુ લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના હુમલાની સારવાર (Heart attack treatment) લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું ત્યારે હાજર સૌ કોઈને એક મતઅને પોતાના કિંમતી તથા પવિત્ર મતની કિંમત સમજાઈ હતી.

લોકશાહીના ચેતનાના ધબકારે હૃદય હુમલાની સારવાર લેતા વિજયભાઈ પવારે કર્યું મતદાન

એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી વિજયભાઈ પવારને 4 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી (Angioplasty surgery in heart disease patient) પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત 3 દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા હતા. પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા તેમની અડગ ઈચ્છા અને મક્કમ નિર્ણાયકતાના કારણે હોસ્પિટલ તંત્રએ પણ સહમતિ દર્શાવી. વિષમ સંજોગ અને પરિસ્થિતિ પર વિજય મેળવનાર વિજયભાઈ પવારને એમ્બ્યુલન્સ મારફતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સ દ્વારા સતત મોનીટરીંગત્યારબાદ વ્હીલચેર મારફતે મતદાન બુથ સુધી પહોંચ્યા હતા. વિજયભાઈની શારીરિક પરિસ્થિતિની વાત કરીએ તો, મેડિકલ ટીમ તથા જરૂરી સુવિધાઓયુક્ત એમ્બ્યુલન્સ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ વિશેષતા એ છે કે, જીવલેણ હુમલો અને નાજુક પરિસ્થિતિ હોવા છતાં તેઓ પોતાની ફરજ અદા કરવા પરથી ડગ્યા નહીં.

મત આપીશ જ એવા મક્કમ મનોબળનાદુરસ્તીના સમયે પણ અચૂક મતદાનના સંકલ્પને ભૂલ્યા વિના લોકશાહીના અવસરને વધાવી લીધો હતો. તે જોઈને ઉપસ્થિત તમામ મતદારો માટે એક અવિશ્વસનીય દ્રશ્ય ઉભું થયું હતું. શારીરિક અસક્ષમતાને બહાનું બનાવી કદાચ વિજયભાઈ મતદાન ન કર્યું હોત. પરંતુ, મત આપીશ જ એવા મક્કમ મનોબળને કારણે તેમણે મતદાન સંકલ્પને સાર્થક કર્યો હતો. આળસ, નિરસતા અને ઉદાસીનતા કારણે ઘરે બેસીને મતદાન માટે ન થતા કથિત રીતે બૌદ્ધિક મતદારોને વિજયભાઈએ ક્યારેય ન ભૂલાય તેવો સંદેશ ચોક્કસથી આપી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details