વડોદરા એ.પી.એમ.સી.ખાતે તા,25 ડિસેમ્બરે ખેડૂત સંમેલન યોજાનાર છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા ઉપરાંત આણંદ, નર્મદા, છોટાઉદેપુર, તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રી સહાય વિતરણ કરશે. તા 25 ડિસબરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને નિમિત્તે સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે એક બેઠક યોજાઈ હતી.જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી પત્રકારોને આપી હતી. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 25મી ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયજીના જન્મ દિનની સુશાસન દિવસ તરીકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે.વડોદરા એપીએમસી ખાતે 25 ડિસેમ્બરે ખેડૂત સંમેલન યોજાનાર છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા ઉપરાંત આણંદ, નર્મદા ,છોટાઉદેપુર, તેમજ ભરૂચ સહિત પાંચ જિલ્લાના 3 હજાર ખેડૂતોને મુખ્યમંત્રી સહાય વિતરણ કરશે.