વડોદરા: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના( Aam Aadmi Party)સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Gujarat Visit )આવ્યા છે. આજે તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા( Arvind Kejriwal visit Vadodara)પહોચ્યા છે. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર -વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હું જામનગરમાં વેપારીઓ સાથે અમે સંવાદ કર્યો હતો. વેપારીઓએ કહ્યું, ગુજરાતમાં સરકાર અમને ડરાવે છે, રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અમારી સરકાર આવશે તો અમે વેપારીઓને નહિ ડરાવીએ તેવું નિવેદન આપ્યું હતું. સાથે અમે રેડ રાજ ખતમ કરીશું અને વેપારીઓને સુરક્ષા આપવાની અગત્યનું કામ કરીશું.
આ પણ વાંચોઃગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર, મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપેરશન