વડોદરાગાયને આપણા સમાજમાં એટલું માનઆપવામાં આવતું નથી જેટલું વિદેશમાં આપવામાં આવે છે. ભારતમાં ગાયને માતા તો કહેવામાં આવે છે પરંતુ આમ છતા તેને રસ્તે રઝળતી છોડી દેવામાં આવે છે. ત્યારે ચિરાગ રાણા કે જેઓએ એમ.એસ.યુનિવર્સિટીની (MS University) ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશનહૉલ ખાતે વિવાસ્વાન - ધ ઓફ ગોડ સુર્યા શીર્ષક હેઠળ પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. જેમાં એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલ ખાતે વિવાસ્વાન - ધ ઓફ ગોડ સુર્યા (The of God Surya) શીર્ષક હેઠળ પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આર્ટિસ્ટ બનાવેલાં 21 પેઈન્ટિંગ્સ( painting exhibition in Vadodara)પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
વડોદરામાં અદભૂત પેઇન્ટિંગ એક્ઝિબિશન, મનુષ્યના વિવિધ હાવભાવ ગાયના માધ્યમથી દર્શાવ્યા - painting exhibition in Vadodara
વડોદરામાં અદભૂત પેઇન્ટિંગ એક્ઝિબિશન ( painting exhibition in Vadodara) જોવા મળ્યું હતું.જેમાં,મનુષ્યના વિવિધ હાવભાવ ગાયના માધ્યમથી દર્શાવામાં આવ્યા હતા.આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં 21 પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.ધ ઓફ ગોડ સુર્યા શીર્ષક હેઠળ પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

અંદરના કલાકાર ચિરાગ રાણાએ કહ્યું હતું કે મેં વિદ્યાનગરથી ફાઈન આર્ટ્સમાં ડિપ્લામાનો અભ્યાસ કર્યો છે.ત્યારબાદ હું આગળની સ્ટડી માટે લંડન ગયો હતો. ઘણાં વર્ષો બાદ મેં ફરીથી મારા અંદરના કલાકારને જગાવી પુન:પેઈન્ટિંગ બનાવવાનું શરુ કર્યું આ દરેક પેઈન્ટિંગમાં મેં મનુષ્યના વિવિધ હાવભાવ જેવાં કે ગુસ્સો,પ્રેમ,પીડા,શણગાર,સંબંધોમાં થતી તકરાર વગેરે ગાયના માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.તે સાથે જ મે દરેક પેઈન્ટિંગમાં ઉપર સુર્ય દર્શાવ્યો છે.જે વિવિધ શેડસમાં જોવાં મળે છે.
ગાય પર ઘણું રીસર્ચજેનો મતલબ છે કે,મનુષ્યના જીવનમાં ક્યારેય એક જેવો સમય રહેતો નથી. તે સિવાય હું જ્યારે લંડનમાં રહેતો હતો.ત્યારે મેં ગાય પર ઘણું રીસર્ચ કર્યું છે. ભારતમાં ગાયને માતા કહેવામાં આવે છે. છતાં દરરોજ રોડ અકસ્માતમાં કે અન્ય ઘટનાઓમાં અનેક ગાયોના મૃત્યુ થાય છે.ઉપરાંત તેમને દુધ દોહ્યાં બાદ રસ્તા પર રખડતી છોડી દેવાય છે.જ્યારે લંડનમાં ગાય માટે અલાયદાં પોલિટ્રી ફાર્મ તેમજ તેમની દરેક રીતે કાળજી લેવામાં આવે છે.