વડોદરા : શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા વાયુદેવતાના ખાંચામાં ગત મોડી રાત્રે દિવાલ ઘરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં મકાનમાં રહેતા એક મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી. તથા ચંદ્રકાંતભાઇ પત્નિ પ્રેમીલાબેન સાથે રહે છે.
વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી, 1 મહિલાને ઈજાગ્રસ્ત - બાજવાડા વિસ્તાર સ્થિત વાયુદેવતાના ખાંચામાં દીવાલ ધરાશાયી
વડોદરા શહેરના બાજવાડા વિસ્તાર સ્થિત વાયુદેવતાના ખાંચામાં મોડી રાત્રે એક મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મહિલાને મકાનમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા
જેમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક મકાનની કાચી દિવાલ ઘરાશાયી થતાં આજુબાજુના વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જે બનાવમાં 58 વર્ષના પ્રેમીલાબેન પર દિવાલનો કાટમાળ પડયો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા. બાદમાં મકાનમાંથી પ્રેમીલાબેનને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીને બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ચંદ્રકાંતભાઈના મકાનની ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું.