ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કેદીઓ પરિજનોને મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા - Surat city news

સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કોરોના ફેલાતો અટકાવવા હાલમાં કેદીઓને તેમના પરિજનો સાથેની મુલાકાત બંધ રાખવામાં આવી છે. પરંતુ કેદીઓ માટે અન્ય વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં તેઓ વીડિયો કોલિંગથી તેમના પરિજનો સાથે વાતચીત કરી શકશે.

સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કેદીઓ પરિજનોને મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા
સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કેદીઓ પરિજનોને મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા

By

Published : May 11, 2021, 4:51 PM IST

Updated : May 11, 2021, 7:26 PM IST

  • સુરતમાં કોરોના સંક્રમણ કાબૂમાં લેવા તંત્રના પ્રયાસો
  • સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા
  • કેદીઓ પરિજનો સાથે વાત કરી શકે તે માટે ટેલિફોનિક વ્યવસ્થા વધારાઈ

સુરત: કોરોના સંક્રમણના ફેઝ 2માં જેલમાં રહેતા કેદીઓ સંક્રમણ ન વધે આ માટે પોતાના પરિવારજનોને મળી શકતા નથી. આ માટે સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાચા અને પાકા કામના કેદીઓ પોતાના પરિજનો સાથે વાત કરી શકે આ માટે ટેલિફોનિક વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.આ સાથે કેદીઓને વીડિયો કોલિંગની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરત લાજપોર જેલમાં અત્યાર સુધી બે કેદીઓ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જેલની અંદર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેદીઓ પરિજનો સાથે કરશે ઈ- મુલાકાત

ગુજરાતની અત્યાધુનિક જેલમાં સુરતના રાજકોટ ખાતે આવેલા મધ્યસ્થ જેલના કેદીઓ પણ સામેલ છે. અહીં પાકા કામના કેદીઓની સંખ્યા 665 અને કાચા કામના કેદીઓની સંખ્યા 1919 છે. આ સાથે પાસા હેઠળ કેદીઓની 55 છે. અને જેલમાં બાળકોની સંખ્યા 8 છે. સુરત લાજપોર જેલમાં હજારોની સંખ્યામાં કાચા અને પાકા કામના કેદીઓ સહિત પાસાના કેદીઓ સજા ભોગવી રહ્યા છે ત્યારે જો કોઈ સંજોગોમાં કોરોના સંક્રમણ જેલ સુધી પહોંચે તો સ્થિતિ ગંભીર બની શકે છે. જેથી અગાઉથી જ સુરત લાજપોર જેલના સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામા દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને ઈ- મુલાકાત કરાવવામાં આવી રહ્યા છે. જ્યારથી સુરતમાં ફેઝ ટુ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ સુરત મધ્યસ્થ જેલમાં કેદીઓને તેમના પરિજનો સાથે મુલાકાત અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અંગે જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે , કેદીઓ પોતાના પરિજનોને રૂબરૂ મળી શકતા નથી આ માટે અમે ટેલિફોનિક વ્યવસ્થા વધારી છે. હાલ કરતા દસ ટેલિફોનિક લાઈનો વધારી દેવામાં આવી છે. સાથે કેદીઓને ઈ- મુલાકાત કરાવવામાં આવી રહી છે. કેદીઓ પોતાના પરિવારજનો સાથે વિડીયોકોલ થકી વાત કરી શકે છે. બીજી બાજુ પહેલા જેલના કેદીઓને ઘરનું ભોજન મળી રહે આ માટેની પણ વ્યવસ્થા કરાઇ હતી પરંતુ હાલના સંજોગોમાં આ સુવિધા બંધ કરવામાં આવી છે.

12 બેરેકમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરાઈ

જેલના સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેલમાં બે કેદીઓ પોઝિટિવ આવ્યા છે. જે નવા કેદીઓ અથવા તો પેરોલ પૂર્ણ કરીને જેલમાં આવતા હોય છે. તેમની માટે કવોરેંટાઈન વ્યવસ્થા જેલની અંદર કરવામાં આવી છે. બાર દિવસ માટે આઇસોલેટ રહેવું પડે છે. કેદીઓ માટે 12 બેરેકમાં આઇસોલેશન ની સુવિધા ઉભી કરાઈ છે.. આ સાથે જેલની અંદર જે ડિસ્પેન્સરી છે ત્યાંથી આ તમામ કેદીઓની સતત મોનિટરીંગ કરવામાં આવે છે અને તેમની દેખરેખ કરાય છે. 45 વર્ષની ઉપરના 328 કેદીઓને વેક્સિન ના બંને ડોઝ આપી દેવામાં આવ્યા કોરોના ને નાથવા માટે એક તરફ જેલ તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ જેલમાં રહેતા કેદીઓને વેક્સિનેશન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે આ અંગે જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન માટે જે યોગ્ય છે તેમને જેલની અંદર જ વ્યક્તિને આપવામાં આવી રહી છે 45 વર્ષની ઉપરના 328 કેદીઓને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

કેદીઓને પેરોલ આપવા અંગે સેશન્સ કોર્ટ આપશે આદેશ

હાઈકોર્ટના નિર્ણય બાદ પેરોલ આપવા અંગે સેશન્સ કોર્ટમાં નિર્દેશ આપશે. હાલ જ સુપ્રીમ કોર્ટે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને જેલમાં કેદીઓને માનવાધિકારને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્દેશ આપ્યા છે, જેને લઇ જેલ સુપ્રિટેન્ડન્ટ નિનામાએ જણાવ્યું હતું કે જેલમાં અત્યારે કેદીઓની સંખ્યા વધારે હોય આવી સ્થિતિ સુરતમાં સર્જાઈ નથી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. જે અંગે હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ નિર્ણય લેશે અને તે અંગેના આદેશ સેશન્સ કોર્ટમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ પ્રક્રિયા હાથ ધરાશે.

Last Updated : May 11, 2021, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details