- કંટ્રોલ રૂમ દ્વારા કામગીરી સતત ચાલુ રખાતા લોકોને મળી મદદ
- સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો
- તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 15 કંટ્રોલ રૂમ ઉભા કરાયા
અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ 1800 થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાંથી 1155 ને ખસેડી દેવામાં આવ્યા છે તો બાકીના વૃક્ષો માટેની કામગીરી હાલ શરૂ છે. મહત્વનું છે કે જે રીતે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેનું લોકો દ્વારા પાલન કરવામાં આવતા વધારે નુકસાન પહોંચ્યું ન હતું.
આ પણ વાંચો: વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન