ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા, કુલ સંખ્યા 520 - District Hospital

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 11,822 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 516 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. બુધવારે 4 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ 414 દર્દીઓ સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે.

મહીસાગરમાં એક દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા, કુલ સંખ્યા 520 થઈ
મહીસાગરમાં એક દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા, કુલ સંખ્યા 520 થઈ

By

Published : Aug 12, 2020, 7:50 PM IST

મહીસાગરમાં એક દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા

  • લુણાવાડામાં 1 અને બાલાસિનોરમાં 2 કેસ નોંધાયા
  • પોઝિટિવ કેસની કુલ સંખ્યા 520
  • કોરોના સંક્રમણને કારણે 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
  • 71 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1વેન્ટીલેટર પર

મહિસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં બુધવારે ફક્ત 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લુણાવાડામાં 1 અને બાલાસિનોરમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 520 પર પહોંચી છે.

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 11,822 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 516 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. બુધવારે 4 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ 414 દર્દીઓ સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે. બુધવારે જિલ્લામાં એક 77 વર્ષના વૃધ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 18 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ, 14 દર્દીઓ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, 4 દર્દીઓ શીતલ નર્સીંગ હોમ-લુણાવાડા, અને 7 દર્દીઓ SDH સંતરામપુરમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 13 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત 18 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 71 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1વેન્ટીલેટર પર છે..

ABOUT THE AUTHOR

...view details