ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બે આર્કિટેક્ચર માટીની મહ્ત્વતા સમજાવવા નીકળ્યા ભારત ભ્રમણે

સુરતઃ ભારતની ભૂમિ એ સંત શૂરાની ભૂમિ છે. લોકો ભારતની ભૂમિને વંદન કરે છે. ત્યારે, આ ભારતની ભૂમિનું મહત્વ સમજાવવા સુરતના બે આર્કિટેક્ચર દ્વારા અનોખી પહેલ કરવામાં આવનાર છે. બંને યુવાનો ભારત ભ્રમણ કરી માટીમાંથી ચિત્રો બનાવી જમીન સાથે લોકો કેવી રીતે જોડાયેલા તેનો સંદેશો આપશે. તેમને આ સફરનું નામ 'વોઈસ ઓફ સોલ' એટલે કે 'માટીનો પોકાર' આપ્યું છે.

By

Published : Aug 18, 2019, 11:06 PM IST

architecture

સુરત શહેરમાં આર્કિટેક્ચર તેમજ શોર્ટ ફિલ્મ મેકર ફોટોગ્રાફર જેવી અનોખી સિદ્ઘિ ધરાવતાં સંજય રમાણી અને સતાબરતા નંદી બંને યુવાનો એક સાદગી ભર્યા વેશમાં સરળ અને મૃદુભાષી સ્વભાવ સાથે સમગ્ર ભારત ભ્રમણ કરવા નીકળ્યાં છે. તેમની આ યાત્રા માટીનો પોકાર અર્થે તેઓ ભારતમાં વિવિધ સ્થળોએ ભ્રમણ કરશે. જ્યાં માટીની પવિત્રતા અને તેની સાથે મનુષ્યનો સંબંધ છે તે ક્યાંક ધૂંધળો થઈ ગયો છે. તેને ફરીથી સ્થાપિત કરવાનો હેતુ છે. 300 મિટર જેટલું કેનવાસ બંને યુવાનો લઈને આવ્યાં હતા. જેમાં દરેક સ્થળે તેઓ જ્યાં જશે ત્યાંના બાળકો પાસે ત્યાંની જ માટી વડે કેનવાસ પર ચિત્રકામ કરાવશે.

સુરત માં બે આર્કિટેક્ચર માટીની મહ્ત્વતા સમજાવવા નીકળ્યા ભારત ભ્રમણે

આમ, કેનવાસ થકી ભારતની માટી પોતાની સાથે કેનવાસ ઉપર ચિત્ર બનાવી સંગ્રહ કરશે. આજે તેમણે પોતાના પ્રથમ સફરની શરૂઆત વલસાડના ઉદવાડા જ્યાં પારસીઓના પવિત્ર અગ્નિ આતશ બહેરામનું સ્થાન આવેલું છે. ત્યાં, શરૂ કરશે. અહીં ઉદવાડામાં પણ તેમને કેનવાસ ઉપર બાળકો પાસે સરસ મઝાના ચિત્રો માટીના ઉપયોગ વડે દોરાવ્યા હતા.

બંને યુવાનો દ્વારા 25000 કિલોમીટરની ભારતની યાત્રા અંદાજિત 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ સાથે યાત્રા દરમિયાન 6 જેટલા વિશ્વ રેકૉર્ડ પણ બનાવશે. તેમની આ કામગીરીને જોતા ઉદવાડા ગામના સ્થાનિકોએ તેમની મુસાફરી સુખદ નીવડે એવી શુભેચ્છા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details