ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના ભોયકા ગામે યુવાનને વીજશોક લાગતા નિપજ્યું મોત

સુરેન્દ્રનગરઃ ઘરમા ચોમાસાના કારણે પાણી પડતુ હોવાથી યુવાન મકાનના છાપરે નળીયાનુ રીપેરીંગ કામ કરવા જતા અચાનક સર્વિસ વાયરને અડી જતાં વીજ શોક લાગતા નીચે પટકાયો હતો અને મોત થયું હતું.

By

Published : Jun 16, 2019, 11:18 AM IST

sur

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ભોયકા ગામે ચોમાસામાં પાણી પડતું હોવાથી મકાનના છાપરે નળીયાનુ રીપેરીંગ કામ કરવા ચડેલા દિલિપ રેવાભાઈ ચૌહાણ ચડયો હતો.

બપોરના સમયે છાપરા પર નળિયા સરખા કરતા અચાનક સર્વિસ વાયરને અડી જતાં વીજ શોક લાગતા દિલીપ નીચે પટકાયો હતો અને પટકાયાના કારણે મોત થયું હતું મૃતક ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી પરિવારમાં આક્રંદ છવાયું હતું. આ બનાવની પાણશીણા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details