ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
7 લોકો જીવતા બળીને ખાખ
ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા અક્સ્માત નડ્યો
સુરેન્દ્રનગર : ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં કારમાં સવાર 7 લોકો જીવતા બળીને ખાખ થયા હતા .
ગોઝારા અક્સ્માતમાં એક જ કુટુંબના ૭ સભ્યો મોતને ભેટ્યા
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા અક્સ્માતમાં એક જ કુટુંબના ૭ સભ્યો મોતને ભેટ્યા છે.એક મહિલાનો બચાવ થયો છે.મૃતકોમાં ૪ લોકો સાંતલપુરના કોરડા ગામના રહેવાસી તેમજ ૩ લોકો રાઘનપુરના નાનાપુરા ગામના રહેવાસી હતા.
ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા અક્સ્માત નડ્યો
ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા અક્સ્માત નડ્યો હતો.અકસ્માતમાં ઘાયલ લોકો કારની બહાર ન નીકળી શકતાં કારમાં સવાર તમામ લોકો આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો :