વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક મજબૂત સરકાર બનાવવાની છે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કૌભાંડ કરવામાં આવ્યું નથી. દેશને વધુ મજબૂત બનાવવા માટે તમે બધા મને સાથ અને સહકાર આપો અને ગુજરાતમાં બધી બેઠક ઉપર કમળને વિજયી બનાવો. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે અને સાથે ખેડૂતો પણ સારો પાક વાવણી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ વડાપ્રધાને ગજવી જાહેરસભા - NitinPatel
સુરેન્દ્રનગર: લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ગુજરાતમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને આંણદમાં જાહેરસભા યોજાઇ હતી.
![સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ વડાપ્રધાને ગજવી જાહેરસભા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3032280-thumbnail-3x2-pm.jpg)
સ્પોટ ફોટો
સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભા
કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પ્રધાન કુંવરજીભાઇ, વાસણભાઈ આહીર, શંભુ પ્રસાદ, રમણલાલ વોરા, આઈ. કે. જાડેજા, ભરત પંડયા તેમજ જિલ્લાના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેન્દ્ર મુંજપરા, મોહન કુંડારિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.