સુરેન્દ્રનગર જિલ્લાના મુળચંદ ગામ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ( Narmada Canal in Surendranagar ) માં કોઇ શખ્સ દ્વારા મોટી માત્રામાં જંતુનાશક દવાના જથ્થાનો નિકાલ ( Pesticide Dumped in Narmada Canal ) કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા વિભાગ, પોલીસ અને પ્રદૂષણ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ટીમ દ્વારા કેનાલમાંથી દવાનો જથ્થો બહાર કાઢી પાણીના સેમ્પલ લઇને વધુ તપાસ ( Police investigation Start ) હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિકો જાણ કરીલોકોએ કેનાલમાં પડેલો દવાનો જથ્થો ( Pesticide Dumped in Narmada Canal )જોઇને તંત્રને જાણ કરતા તાત્કાલિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. સૌપ્રથમ તમામ જંતુનાશક દવાનો જથ્થો ફાયરની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાથે પાણીમાં જંતુનાશક દવા વધુ ન ભળે તે માટે તાત્કાલિક પાણીની આવક બંધ કરવા કેનાલના બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાં અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કેનાલ દ્વારા પાણી ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવતુ હોય દવા પાણીમાં ભળી જતાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો હતો.