સુરેન્દ્રનગરઃ બુધવારના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન અવસરે દેશ સાથે રાજ્યમાં પણ હર્ષ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગામડાઓના મુખ્ય મંદિરોમાં મહા આરતી, ધૂન, પૂજન-અર્ચન અને મીઠાઇ વેચીને ભાવિકોએ મોં મીઠા કર્યા હતા.
અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ
અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન અવસરે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગામડાઓના મુખ્ય મંદિરોમાં પણ પૂજન-અર્ચન અને મીઠાઇ વેચીને ભાવિકોએ મોં મીઠા કરી ઉજવણી કરી હતી.
રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ
તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના માય મંદિર, જોરાવરનગર રામજી મંદિર, દુધરેજ વડવાળા મંદિર સહિત શહેરના મુખ્ય મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકો આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ ફટાકડા ફોડીને મોં મીઠા કરી આ અવસરને યાદગાર બનાવ્યો હતો.