પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્નીનું મોત - wife
સુરેન્દ્રનગરઃ લખતરના ભૈરવપરામાં રહેતા અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા દંપતીએ ઝેરી દવા પીઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.

surendranagar
લખતર બસ સ્ટેન્ડ પાસે એરોપ્લેન વિસ્તારમાં રહેતા ખેતીવાડી કરીને ગુજરાત ચલાવતા કિશન અને જનકબેન ખેતીકામ કરીને ઘરે આવ્યા બાદ કિશોર અને તેની પત્ની ઝેરી દવા પીઈ લીધી હતી. આ બનાવની જાણ થતા બંનેને સારવાર અર્થે સોનગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 25 વર્ષના જનકબેનનું મોત થયું હતું, જ્યારે 28 વર્ષના કિશનભાઇ હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે દાખલ કરાયા હતા. જાણવા મળેલ છે કે, મોબાઈલમાં ફોન આવતા હોવાથી પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ દવા પીધી હતી.
પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્નીનું મોત