સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વઢવાણ મહાનગરપાલિકા બનાવવા વહીવટદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં પ્રમાણે વઢવાણ શહેર 200 વર્ષથી પ્રાચીન ગૌરવપૂર્ણ ઐતિહાસિક નગરી ધરાવે છે. હાલ વર્ધમાન મહાવીર સ્વામીના પગલા, અડીખમ ગઢ, 7 દરવાજા ધરાવતું શહેર છે. આઝાદી પહેલા બ્રિટિશ કેમ્પ વખતે સુરેન્દ્રનગર શહેર બનાવવામાં આવ્યું હતું અને એક લાખની વસતી ધરાવતું વઢવાણ છે.
વઢવાણને મહાનગરપાલિકા બનાવવા વહીવટદારને આવેદનપત્ર પાઠવાયું - Surendranagar News
હાલમાં ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકા સંયુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયને પાલિકાના સત્તાધીશો, હોદ્દેદારો સહિત અનેક આગેવાનોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે વર્ધમાન મહાનગરપાલિકા ચળવળના નેજા હેઠળ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંબોધીને પાલિકાના વહીવટી અધિકારી અનિલ ગોસ્વામીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
![વઢવાણને મહાનગરપાલિકા બનાવવા વહીવટદારને આવેદનપત્ર પાઠવાયું wadhwan news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7937172-26-7937172-1594176431322.jpg)
વઢવાણ મહાનગરપાલિકા બનાવવા આવેદન પત્ર
વઢવાણ મહાનગરપાલિકા બનાવવા આવેદન પત્ર
એ ગ્રેડમાં બ્રિ ગેડ કરાતા લોકોને વધારે ટેક્સ બરોબર છે. જો વિકાસ કરવો હોય તો વર્ધમાન મહાનગરપાલિકા કરવી જોઈએ. આમ છતાં વઢવાણના હિતોને જ નજર અંદાજ કરવામાં આવશે તો ધરણા, રેલી, ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વેળાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે, મહાદેવભાઇ દલવાડી, પ્રફુલભાઈ શુક્લ, સતીશ ગમારા, અમિત કંસારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.