ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2022, 1:50 PM IST

ETV Bharat / state

સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત, બે પોલીસ કર્મીઓના થયા મોત

સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત (Accident on Surendranagar Lakhtar Highway) સર્જાયો હતો. જેમાં બે પોલીસ કર્મીઓના મોત (Two policemen died) થયા હતા. બંને પોલીસ કર્મીઓના મોત સમાચાર મળતા જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મીઓ અને DySP એચ.પી.દોશી ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને પોલીસ કર્મીઓના મોતથી પોલીસ પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત, બે પોલીસ કર્મીઓના થયા મોત
સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત, બે પોલીસ કર્મીઓના થયા મોત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લખતર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. પોલીસ કર્મીઓ સુરેન્દ્રનગર મુદ્દતથી આવતા હતા તે દરમિયાન ઝમર ગામ પાસે રોજ બાઈક સાથે અથડાતા બંને પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ 108ને જાણ કરી હતી. લખતર સરકારી હોસ્પિટલ ખાતે બને પોલીસ કર્મીઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ બંને પોલીસ કર્મીઓ શંકર ભગવાન ઓળકીયા ઉ.વ. 26 અને સહદેવ કડવા ગળથળા ઉ.વ. 31ને મૂર્ત જાહેર કર્યા હતા. બંને પોલીસ કર્મીઓના મોત સમાચાર મળતા જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મીઓ અને DySP એચ.પી.દોશી ઘટના સ્થળે લખતર ખાતે પહોંચ્યા હતા. બંને પોલીસ કર્મીઓના મોતથી પોલીસ પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details