ગુજરાત

gujarat

ETV Bharat / state

વઢવાણમાં મેમકા ખાતે સેવાનિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો - નિવૃત્તિ વિદાય સમારોહ વઢવાણ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ખાતે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં શાળાના શિક્ષિકા નિતાબેન રાવલનો સેવા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો

વઢવાણમાં મેમકા ખાતે સેવા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

By

Published : Oct 20, 2019, 9:28 PM IST

આ કાર્યક્રમ પ્રસંગે કાર્યવાહક અધ્યક્ષ આઇ. કે. જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વર્ષ 2003થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહી છે. તેમજ રાજ્ય સરકાર ગુણોત્સવ દ્વારા શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે

શિક્ષકોને સઘન તાલીમ આપીને આવનારા દિવસોમાં ગુજરાતને સો ટકા સાક્ષર બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેમ પણ ઉમેર્યુ હતુ. વધુમાં અધ્યક્ષએ નીતાબેન રાવલના શૈક્ષણિક પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષકમાં ગગનચુંબી ઇમારતોને આંબવાની શક્તિઓ રહેલી છે. શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકિયા જ્ઞાન પુરતો મર્યાદિત નથી. શિક્ષણ થકી જ સમાજ ગુણવાન અને ચારિત્ર્યવાન બને છે. આ તકે અધ્યક્ષશ્રીએ ગ્રામજનોને ગામમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ પણ કર્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે ગામના 35 રકતદાતઓએ રકતદાન કર્યુ હતુ અને રૂપિયા ૮૦,૦૦૦ ના ખર્ચે શાળાના કંપાઉન્ડમાં નિર્માણ પામેલ શેડનું કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

વઢવાણમાં મેમકા ખાતે સેવા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

આ કાર્યક્રમ પ્રસંગે પુર્વ મંત્રી રણજિતસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન અને અંતમાં આભારવિધિ દેવાંગ રાવલે કરી હતી. આ પ્રસંગે અગ્રણી જયેશભાઇ શુક્લ, રામજીભાઇ ગોહિલ, ભોજુભા જાડેજા, પી.કે. સિંધવ, રાયમલભાઇ ગોહિલ, હસુભાઇ ડાભી, ભરતભાઇ રાવલ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


ABOUT THE AUTHOR

...view details