ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી જ પતિ અને સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

By

Published : Jan 5, 2021, 7:29 PM IST

પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • પરિણીતાએ સાસરીયા સામે ત્રાસની નોંધાવી ફરીયાદ
  • ચોથા જ દિવસે પતિ દ્વારા શારીરિક સંબંધોને લઈ મારઝૂડ કરી
  • દહેજમાં 50 હજાર આપવા છતાં ત્રાસ ઓછો નહીં થતાં મહિલાએ ફરિયાદ નોંધાવી

સુરતઃબારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી જ પતિ અને સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સાસરિયાથી ત્રાસેલી પરિણીતાએ સોમવારના રોજ સુરત ગ્રામ્ય મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતા પાસે દહેજની માગ

બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતા પાસે દહેજની માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમાં પરણિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં શબરી ધામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અર્જુનસિંહ ચૌહાણની 31 વર્ષીય પુત્રી જ્યોતિના લગ્ન બાબેનની સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા વિજયસિંહ રામકિશોર રાઠોડ સાથે થયા હતા.

લગ્નના બીજા દિવસે પતિનો ત્રાસ

લગ્નનાના બીજા જ દિવસે વિજયસિંહે જ્યોતિ મને ગમતી નથી છતાં જબરજસ્તી મારી સાથે લગ્ન કરાવ્યા છે. તેવું જણાવી જ્યોતિ સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો. તે દરમિયાન લગ્નના ચોથા દિવસે શારીરિક સંબંધ બાંધવા બાબતે જ્યોતિ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો.

1 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવ્યું

આ ઉપરાંત ધંધામાં દેવું વધી ગયું હોય તેમ જણાવી પિતા પાસેથી 1 લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું. પતિના દબાણને વશ થઈ જ્યોતિ તેના પિતા પાસેથી 50 હજાર રૂપિયા લઈ આવી હતી પરંતુ ત્યારબાદ પણ પતિ ઉપરાંત તેના સાસુ મનોરમાં રાઠોડ અને રામકિશોરસિંહ રામનાથ રાઠોડ દ્વારા મેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરવામાં આવતી હતી.

સસરાએ આપી ધમકી

સસરાએ રામકિશોરે “હું એકવાર મર્ડર કરી ચૂક્યો છું હું કોઇથી ગભરાતો નથી જો તું વધારે માથાકૂટ કરશ તો તને પણ મારી ને ફેંકી દઈશ” એવી ધમકી આપતા જ્યોતિ ગભરાય ગઈ હતી. વારંવાર શારીરિક માનસિક ત્રાસથી પરેશાન જ્યોતિ તેના પિતાના ઘરે ચાલી ગઇ હતી.

પરિણીતાએ સાસરીયા સામે નોંધાવી ફરિયાદ

સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે તેના પતિ વિજયસિંહ રામકિશોર રાઠોડ, સસરા રામકિશોર રામનાથ રાઠોડ અને સાસુ મનોરમા કિશોરસિંહ રાઠોડની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details