ગુજરાત

gujarat

ETV Bharat / state

વસ્તી વધારા માટે સુરતમાં પારસી સમુદાયના નવદંપતિઓને ભેટમાં અપાય છે મકાન, વાંચો આ રસપ્રદ અહેવાલ

સુરતઃ દૂધમાં સાકરની જેમ ભળી જાય તેવા પારસી સમાજની વસ્તી ખૂબ જ ઓછી છે. જેથી પોતાના સમાજની વસ્તી વધારવા માટે નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરત પારસી પંચાયત નવયુગલોને મકાન ભેટ આપે છે. બીજીતરફ યુનેસ્કો અને ભારત સરકાર પણ આ સમાજની વસ્તી વધે તે દિશામાં પ્રયત્ન કરે છે.

parsi samuday

By

Published : Aug 16, 2019, 11:16 PM IST

લગ્ન કરનાર નવયુગલને ભેટ સ્વરૂપે બેડશીટ, તિજોરી અને સોફાથી માંડી ઘરની અંદર વપરાશ માટેની વસ્તુઓ વહેંચાતી જોઈ હશે. પરંતુ ઘર જ ભેટમાં આપી દેવાય તેવી અનોખી પહેલ પારસી સમાજમાં શરૂ થઈ છે. વળી, આ સાહસ પાછળનું કારણ પણ ખૂબ જ મજેદાર છે. પારસી સમાજ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો હોવાથી તેની વસ્તીમાં વધારો કરવા માટે સુરત પારસી પંચાયત દ્વારા નવયુગલોને ભેટમાં મકાન આપવાનો નિર્ણય કરાયો છે.

વસ્તી વધારા માટે સુરતમાં પારસી સમુદાયના નવદંપતિઓને ભેટમાં અપાય છે મકાન

છેલ્લા કેટલાય વર્ષોથી પારસી સમાજના લોકોની વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો હતો. પારસી સમાજના યુગલો લગ્ન કરે અને તેમની વસ્તીમાં વધારો થાય તે માટે પારસી પંચાયત દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. વળી, અત્યાર સુધીમાં પારસી પંચાયત દ્વારા 100 જેટલા નવદંપતિને ફ્લેટ ભેટ સ્વરૂપે આપી દેવામાં આવ્યાં છે.

સુરતની વસ્તી 60 લાખ જેટલી છે. પરંતુ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પારસી સમાજના માત્ર 3510 જ લોકો રહે છે. આ આંકડો ચિંતાનો વિષય બન્યો છે. આ આંકને વધારવા માટે સુરત પારસી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે.

સુરતમાં પારસી સમાજની વસ્તીનો રેશિયો

વર્ષ વસ્તી
1994 2823
1999 3883
2004 3616
2010 3696
2014 4023

ABOUT THE AUTHOR

...view details