શોભાયાત્રામાં ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા, જાણો કેમ... - Ganesha mandal
સુરત: વિઘ્નહર્તાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.. દુદાળા દેવના આગમનના પગલે ગણેશ ભક્તો દ્વારા ઠેર-ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે દુંદાળા દેવની અનોખી શોભાયાત્રા જોવા મળી. આ શોભાયાત્રામાં ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા. જેની પાછળનું કારણ જેલમાં રહેતા કેદીઓમાં પણ એક ધાર્મિક લાગણી જોડાયેલી હોય છે અને તેઓ આ પ્રસંગથી વંચિત રહેતા હોય છે. જેથી ગુનાખોરીની દુનિયાથી દૂર રહી, બહારની દુનિયાનો આનંદ માણે તેવો પ્રયાસ આ શોભાયાત્રા દરમ્યાન કરવામાં આવ્યો છે.

સુરતના જહાંગીરપુરા મુકામેથી નીકળેલી દુંદાળા દેવની આ શોભાયાત્રા જોઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. કારણ કે દુંદાળા દેવની શોભાયાત્રામાં શામેલ ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા હતા. જહાંગીરપુરાના સાગરપુત્ર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દુંદાળા દેવના આગમનના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ગ્રુપના સભ્યોએ દુંદાળા દેવની શોભાયાત્રા સુરતના જહાંગીરપુરા ખાતેથી કાઢવામાં આવી હતી. ઢોલ નગારા અને તાસા સાથે નીકળેલી શોભાયાત્રામાં કેદીનો પોશાક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. શોભાયાત્રામાં યુવતીઓ સહિત યુવાઓ નાસિક ઢોલ વગાડતી નજરે જોવા મળી હતી. જો કે ગ્રુપના સભ્યોનું કહેવુ છે કે આ પોશાક પહેરવા પાછળનું એક કારણ પણ છે. જેલમાં ગુનો કરી જેલવાસ ભોગવતા કેદીઓ આવા પ્રસંગોથી વંચિત રહી છે.