તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં રાખવામાં આવી - અનુચ્છેદ 370
સુરત: ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ગણેશ આયોજકો દ્વારા લાખોની ખર્ચ કરી અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે. જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતમાં અડાજણ સ્થિત ગાર્ડન ગ્રુપ દ્વારા ચાર જેટલી અલગ અલગ પ્રતિકૃતિઓ પર થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં તક્ષશીલા અગ્નિકાંડની ઘટનાને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરતના કેબલ બ્રિજ સહિત અન્ય ત્રણ થીમ પણ રજૂ કરવામાં આવી છે.
![તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં રાખવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4332325-thumbnail-3x2-sur.jpg)
surat
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પંડાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગણેશ પંડાલની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થીમો પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને અહીં જીવંત કરવામાં આવી છે.
તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પનડાળમાં રાખવામાં આવી