ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિવારવાદની બબાલ વચ્ચે સી.આર.પાટીલના પુત્રની રાજનીતિમાં એન્ટ્રી - Punjab AAP Winner List

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં સેનેટ સભ્યોની ચૂંટણી(Senate election of VNSGU) યોજવનારી છે. આ સેનેટ સભ્યોની ચૂંટણીને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા પોતાના 10 ઉમદેવારીના નામ સાથે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આ સેનેટ સભ્યોની ચૂંટણીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પુત્ર જીગ્નેશ સેનેટની ચૂંટણીમાં ઝંપ લાવશે.

VNSGUની સેનેટ ચૂંટણીમાં સી.આર.પાટીલનો પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ પર ઝંપ લાવશે
VNSGUની સેનેટ ચૂંટણીમાં સી.આર.પાટીલનો પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ પર ઝંપ લાવશે

By

Published : Jul 25, 2022, 6:16 PM IST

સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University )આગામી દિવસોમાં સેનેટ સભ્યોની ચૂંટણી (Senate election of VNSGU)યોજવનારી છે. આ ચૂંટણીને લઈને અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની( Akhil Bharatiya Vidyarthi Parishad )આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું છે.

10 ઉમદેવારીના નામ સાથે સત્તાવાર રીતે જાહેર -VNSGUમાં આગામી દિવસોમાં સેનેટ સભ્યોની ચૂંટણી (Senate Election 2022)યોજવનારી છે. આ ચૂંટણીને લઈને અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા પોતાના 10 ઉમદેવારીના નામ સાથે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આ સેનેટ સભ્યોની ચૂંટણીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પુત્ર જીગ્નેશ સેનેટની ચૂંટણીમાં ઝંપ લાવશે. જીગ્નેશ પાટીલ સક્રિય રાજનીતિ તરફ આવવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. જીગ્નેશ પાટીલ ડોનરશીટ પરથી ઉમેદવારી નોંધાવશે.

VNSGUની સેનેટ ચૂંટણી

આ પણ વાંચોઃVNSGUમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે થયું આ ડોક્યુમેન્ટ ફરજીયાત, જોવા મળી વિદ્યાર્થીઓમાં નારાજગી

આગામી દિવસોમાં થનારી સેનેટ સભ્યોની ચૂંટણી -અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં થનારી સેનેટ સભ્યોની ચૂંટણી લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, NSUI દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ થાયએ સ્વાભાવિક છે, પરંતુ ભાજપને જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવે તે આનંદની વાત છે.

ખોટા નિર્ણયોના લીધે આંદોલનો થાય -ભાજપના સત્તાધિશો શિક્ષણ ક્ષેત્રે ખોટા નિર્ણયો લઈ રહ્યા છે તેને કારણે તમારે આંદોલનો કરવા પડે છે તેનું દુઃખ થાય છે ખરું? આ પ્રશ્નનો જવાબ આપવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. તેમણે કોઈ પણ સ્પષ્ટીકરણ સાથેનો જવાબ આપ્યો ન હતો તેમને પૂછવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાતા નથી. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જવાબ આપ્યો કે જ્યાં પણ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો ઉભા થશે ત્યાં આગળ રજૂઆત કરવામાં આવશે પરંતુ તેમને ભાજપના શાસનને લઈને મગનું નામ મરી પાડવાનું પણ યોગ્ય ન માન્યું.

આ પણ વાંચોઃભરતી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોકાઈ ગયેલું મહત્ત્વનું કામ ફરી થશે શરુ, કેવી રીતે થશે જાણો

ચૂંટણીના ઉમેદવારના નામ -ABVPના સેનેટ ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 1.પ્રધુમન જરીવાલા, 2.કનુ ભરવાડ, 3.ભાર્ગવ રાજપૂત, 4. દિશાન્ત બાગરેયા, 5.અમિત નાથાણી, 6.સાયન્સ ગણપત, 7.ભાવિન પટેલ, 8.ભુવેનેશ માગરોળીયા,9. ડો.સતીશ પટેલ, 10. ડો.ચેતન પટેલ જ્યારે ડોનર વિભાગની બે સીટ પર ડો.કશ્યપ ખરચિયા તથા જીગ્નેશ પાટીલના નામ જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details