ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના 13 ટ્રસ્ટીઓ સામે શિક્ષણ બોર્ડની ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે કારણ - સુરતના ત્રણ ટ્રસ્ટના કુલ 13 ટ્રસ્ટીઓ સામે પોલીસે ફરિયાદ નોંધાવાઈ

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતના ત્રણ ટ્રસ્ટના કુલ 13 ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જુન-2019માં નવી માધ્યમિક શાળા શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડની જાહેરાત બાદ સુરતના ત્રણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એકેડમી અને સ્કૂલ દ્વારા ઓનલાઈન અરજી કરાઈ હતી. જેમાં રજૂ કરેલા કેટલાક દસ્તાવેજો ખોટા હોવાથી, નકલી સરકારી સિક્કાનો ઉપયોગ જેવી બાબતોને લઈને ત્રણેય ટ્રસ્ટના કુલ 13 જવાબદાર વ્યક્તિઓ સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે.

gandhinagar
gandhinagar

By

Published : Jan 1, 2020, 1:44 PM IST

જેમાં વિરેન્દ્ર પ્રતાપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતવિરેન્દ્ર પ્રતાપસિંઘ, ઈંગલીશ એકેડમી(મહાલક્ષ્મી રેસીડન્સી-6 તલંગપોર)ના જવાબદારો મનોજ બિરેન્દ્ર પ્રતાપસિંઘ, વીનાદેવી મનોજ સિંઘ, ચંદાદેવી વિરેન્દ્ર સિંઘ (તમામ રહે-10 45, આદર્શનગર, કનસાડ, ચોર્યાસી) સામે જમીન માલિકના ખોટા ડોક્યમેન્ટ્સ રજૂ કરવા માટે, ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીના ખોટા લેટરપેડ અને સહી-સિક્કા સાથે બીયુ પરમિશન રજૂ કરવા બાબતે ગુનો નોંધાયો છે.

તો પ્રભાત એજ્યુકેશન એન્ડ ચેરેટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્ટેપીંગસ્ટોન એકેડમી (પરવત પાટીયા, સુરત)ના જવાબદારો મુકેશભાઈ ભાઈચંદભાઈ જોષી, છાયાબેન મુકેશભાઈ જોષી, ઉજલા મુકેશભાઈ જોષી (તમામ રહે-રંગીલાપાર્ક સોસા.સુરત), વિક્રમભાઈ ભાઈચંદભાઈ જોષી (રહે-સુરભી સોસાયટી, બોમ્બેમાર્કેટ રોડ, સુરત) સામે શાળાની નોંધણી અને બોર્ડના સભ્યોની રૂબરૂ તપાસણી સમયે મેદાનના અલગ-અલગ ભાડા કરાર રજૂ કરવા બદલ ફરિયાદ થઈ છે.

તો આ તરફ ચિત્રગુપ્ત મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ચ સંચાલિત તિરૂપતિ ઈંગ્લીશ સ્કૂલ (જય અંબે ગૃપહાઉસિંગ એસો. ન્યૂ બામરોલી રોડ)ના જવાબદારો વિરેન્દ્રવકુમાર જે. ભટનાગર, સુચેતા વી. ભટનાગર, રજનીકુમાર વી. ભટનાગર, કવિતા આર. ભટનાગર, અક્ષય આર. ભટનાગર, નિધી એ. ભટનાગર (તમામ રહે-જલારામ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, ઉધના) સામે જમીન માલિકના ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ ગુનો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details