વડાપ્રધાન મોદીના જન્મદિવસની સુરતમાં કંઈક અલગ રીતે જ ઊજવણી થશે ! - latest surat news
સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની "સેવા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવશે. કશ્મીરથી 370 અને 35A કલમ નાબૂદ થતા હવે સુરત ખાતે વંચિત અને ગરીબ પરિવારની 370 દીકરીઓને ભણાવવાની નેમ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાશે. ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્રસેનાના નેજા હેઠળ સુરતની વિવિધ સેવાભાવી સંસ્થાના સહયોગથી સુરતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરીબ પરિવારની 370 દીકરીઓને ભણાવવાની નેમ સાથે વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમ અંગે માહિતી આપતા ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યું કે હાલમાં જ વડા પ્રધાન મોદી દ્વારા 370ની કલમ દૂર કરવામાં આવી હતી. આ રીતે નવા ભારતના દર્શન કરાવનાર વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવી પડે તે સ્વભાવિક છે. કલમ 370 દૂર કરાઈ, મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી છુટકારો અપાવ્યો આ ઐતિહાસિક નિર્ણયને ધ્યાનમાં રાખી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.