ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા થયું મોત

સુરત શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રેહમત નગરમાં ચાલતા બિલ્ડીંગના સાઈડ ઉપર દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા મોત થઈ ગયું છે. હાલ આ મામલે સચીન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

By

Published : Mar 12, 2023, 10:35 PM IST

Surat News : સુરતમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા થયું મોત
Surat News : સુરતમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા થયું મોત

સુરત : શહેરમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઉન પાટીયા ફૂટપાટ ઉપર રહેતા અને મજૂરી કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા મોત થઈ ગયું છે. પરિવારના છોકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના થતા જ લોકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસને જાણ કરતા સચીન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.સચીન જીઆઈડીસી પોલીસ કંટ્રોલને માહિતી મળતા જ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા હતા. આ ઘટના સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ રહેમત નગર પાસે નવા બિલ્ડીંગના સાઈડ ઉપર બની હતી. બપોરના સમય પરિવાર એક બાજુ જમવા બેઠું હતું ત્યારે બીજી બાજુ પરિવારના બે સંતાનો બિલ્ડીંગના એક રૂમમાં રમી રહ્યા હતા. તેમાં અચાનક જ દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો બાળકના પીઠના ભાગે પડતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બંને ભાઈ બહેનો બિલ્ડીંગના એક રૂમમાં રમતા હતા :વધુમાં જણાવ્યું હતું કે, મૃતક બાળકનું નામ કાર્તિક બાલસિંગ કટારા છે. જેમના પિતાનું નામ બાલસિંગ કટારા છે. જેઓ ઉન પાટિયા પાસે ફૂથપાટ ઉપર રહે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ કુંડીયા પાળા ખાવાસા ગામના છે. સુરતમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલવે છે. ખૂબ જ સામાન્ય પરિવાર છે.તેમને એક દીકરી અને એક દીકરો હતો. તેમાં દોઢ વર્ષનો એક દીકરો જેની ઉપર દરવાજો પડતા મોત થયું છે. આ બંને ભાઈ બહેનો બિલ્ડીંગના એક રૂમમાં રમી રહ્યા હતા. અને તેમના માતા-પિતા બહાર જમવા બેઠા હતા. ત્યારે જ અંદરના રૂમમાં રમી રહેલા ભાઈ બહેન ઉપર અચાનક દરવાજો પડ્યો હતો. જોકે તેમાં તેમની છોકરી બચી ગઈ હતી તો બાળક ઉપર દરવાજો પડતા મોત થયું હતું.

આ પણ વાંચો :Looteri Dulhan : 22 વરરાજાને લૂંટનારી દુલ્હન લૂંટાઈ ગઈ, જાણો કેવી રીતે મુસ્લિમ યુવકની જાળમાં ફસાઈ

પરિવારે બાળકનું પોસ્ટમોર્ટમ કરવાનું ના કહેતા હતા :સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બાળકની બોડીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પરિવારે બાળકનું પોસ્ટમોર્ટમ કરવાનું ના કહેતા અમે પોસ્ટમોર્ટમ કરાવ્યું નથી. અને તેમને તેમના વતન મધ્યપ્રદેશમાં એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપ્યા છે. હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે દરવાજો કઈ રીતે મુકવામાં આવ્યો હતો અને કઈરીતે પડ્યો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :Ahmedabad crime news: બાપુનગરમાં ફરી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ

અચાનક આવાજ આવતા અમે અંદર ગયા હતા :આ બાબતે મૃતક બાળકના પિતા બાલાસિંગએ જણાવ્યું હતું કે, અમે અમારા સાઈડ ઉપર કામ કરીને જમવા બેઠા હતા ત્યારે અંદર રૂમમાં મારી 4 વર્ષની છોકરી અને દોઢ વર્ષનો છોકરો રમી રહ્યો હતો. ત્યારે જ અચાનક ધડામથી આવાજ આવતા અમે અંદર ગયા હતા તો મારી છોકરી ઉભી હતી અને છોકરો દરવાજા નીચે દબાયો હતો જેથી અમે દરવાજો ઉચક્યો તો છોકરો ઊંધો પડ્યો હતો અને મોં માંથી લોહી નીકળતું હતું. જેથી અમારા સાઈડ ઉપર મેડિકલની ટીમ હતી તેઓ પણ દોડી આવ્યા હતા તેઓએ કહ્યું કે, તમારા છોકરાનું ડેથ થઈ ગઈ છે. થોડીક વરમાં પોલીસ પણ આવી પહોંચી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details