ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ધનતેરસ પર લોકો ગણેશ, લક્ષ્મીજીની સાથે ગાંધીજીની પણ કરી રહ્યા છે પૂજા - Latest news of Surat

સુરત: આજે શુક્રવારે ધનતેરસ છે અને લોકો સોના-ચાંદીની ખરીદી માટે જ્વેલર્સની દુકાન ઉપર પહોંચી ગયા છે ત્યારે સોનાના ભાવમાં વધારો જોઈ લોકો ગાંધીગીરી કરી રહ્યા છે. સોનાની જગ્યાએ ચાંદીના સિક્કા અને નોટો ખરીદી રહ્યા છે. જેમા માઁ લક્ષ્મી ગણેશજીની સાથે મહાત્મા ગાંધીની તસવીર છે. આ ધનતેરસ પર ગણેશને લક્ષ્મીની સાથે સાથે મહાત્મા ગાંધીની પણ પૂજા કરવામાં આવી રહી છે. ગાંધીજીના 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે ધનતેરસ ખાસ નોટો તૈયાર કરવામાં આવી છે.

on-this-dhanteras-people-chanting-of-gandhiji

By

Published : Oct 25, 2019, 12:06 PM IST

આ વર્ષે ધનતેરસ પર લોકો ગાંધીગીરી કરી રહ્યા છે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ લોકો ધનતેરસ પર એક ખાસ ચાંદીની નોટો ખરીદી રહ્યા છે. આ નોટ ઉપર એક બાજુ માતા લક્ષ્મી તો બીજી બાજુ ગણેશજીની છબી જોવા મળે છે, ત્યારે નોટ પર મહાત્મા ગાંધીની તસવીર પણ અંકિત કરવામાં આવી છે. ધનતેરસ પર લોકો આ ખાસ નોટ ખરીદી રહ્યા છે. જેની કિંમત પણ ખૂબ જ ઓછી છે ચાંદીની આ નોટો લોકોને ગાંધીગીરી કરવાની તક આપી રહી છે. લોકો આ નોટોની પૂજા ઘરમાં ધનતેરસના દિવસે કરી રહ્યા છે. આ નોટના કારણે લોકો પણ ખૂબ જ ખુશ છે કે, હવે ગણપતિ અને લક્ષ્મીજીની સાથે તેઓ દેશને આઝાદી અપાવનાર મહાપુરુષ મહાત્મા ગાંધીની પૂજા કરી રહ્યા છે.

આ ધનતેરસ પર લોકો ગણેશ, લક્ષ્મીજીની સાથે ગાંધીજીની પણ કરી રહ્યા છે પૂજા

સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે આ વખતે ધનતેરસ પર માત્ર શુકન માટે ખરીદી કરી રહ્યા છે. સોનાના ભાવ વધતા આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા કરતા ઓછી ખરીદી લોકો દ્વારા થઈ છે. જેથી લોકોને આકર્ષવા અને સાથોસાથ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં આ ખાસ નોટો જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. શુકનના હિસાબે આ સસ્તી અને સારી પણ છે. મંદીના કારણે બજારમાં ખરીદીની રોનક ઓછી થઈ છે, પરંતુ લોકો આ નોટના માધ્યમથી ધનતેરસ પર ગણેશ અને લક્ષ્મીજીની સાથે મહાત્મા ગાંધીની પૂજા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details