- મૃતકે ચાર અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાની પોલીસને ફરિયાદ કરી હતી
- મૃતકે ત્રણ વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું
- સગીરાના પિતા અને ખેતરા માલિકના પુત્ર સહિત ચાર સામે નોંધાઈ ફરિયાદ
સુરતઃબારડોલીમાં ગત તારીખ 26ના રોજ નેશનલ હાઈવે નંબર 8 પર કઠવાડા ગામની સીમમાં આવેલી એક ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર કઠવાડા ગામના કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવાને સગીરાના પિતા સહિત ચાર શખ્સોએ માર માર્યો હતો. કલ્પેશનું લાજપોર જેલમાં તબિયત લથડયા બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પોલીસે સગીરાના પિતા, ખેતર માલિકના પુત્ર અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃજેલમાં તબિયત લથડયા બાદ દુષ્કર્મના આરોપીનું સારવાર દરમિયાન થયું મોત
લાજપોર જેલમાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો
સગીરાના પિતા તેમજ અન્ય ૨ વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહીત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન આરોપીને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત ખરાબ થતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.