ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat news: હીરાને ચમક આપનાર રત્ન કલાકારોની જિંદગી બની ઝાંખી, એક વર્ષમાં 25થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યા - commit suicide in one year due to financial crisis

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારથી જ સુરતના રત્ન કલાકારોની સ્થિતિ દયનીય બની ગઈ છે. એક આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં આશરે 25 થી પણ વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણ અથવા તો પારિવારિક કારણોસર આપઘાત કરી લીધો છે. અનેક કારખાનાઓમાં રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. આવી આર્થિક સંકળામણની પરિસ્થિતિમાં રત્નકલાકારો આપઘાત કરવા પર મજબૂર થઈ રહ્યા છે.

more-than-25-jewelers-commit-suicide-in-one-year-due-to-dire-financial-crisis
more-than-25-jewelers-commit-suicide-in-one-year-due-to-dire-financial-crisis

By

Published : Jun 8, 2023, 4:59 PM IST

સુરત:વિશ્વના 100 માંથી 90 હીરાનું કટીંગ અને પોલિસીંગ સુરતમાં થાય છે. સુરત હીરા ઉદ્યોગ માટે હબ તરીકે ઓળખાય છે પરંતુ જે લોકો હીરાને ચમક આપે છે તેમના જીવનની ચમક ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ઝાંખી થઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે અનેક દેશોએ રશિયાના ડાયમંડની ખરીદી માટે પ્રતિબંધ મૂકી દીધા છે. એક મહિના પહેલા એક્સપોર્ટમાં 31% નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ઓછી થતા તેની સીધી અસર રત્ન કલાકારોના જીવન પર પડી રહી છે. બાળકોના ભરણ પોષણ તેમના ભણતર અને ભાડાના મકાનમાં રહેનાર રત્નકલાકાર આર્થિક સંકળામણના કારણે આપઘાત કરવા પર મજબૂર થઈ રહ્યા છે.

રત્ન કલાકારો આપઘાત કરવા મજબુર:ડાયમંડ વર્કર્સ યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, માત્ર સુરત શહેરમાં આજે છેલ્લા એક વર્ષમાં 25થી વધુ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે જેમાંથી સૌથી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આઠ કલાકથી પણ વધુ સમય નોકરીને આપનાર આરાધના કલાકારોના પગારની વાત કરવામાં આવે તો તે 12,000 થી શરૂ થાય છે. એક્સપોર્ટ સારો થયા બાદ પણ જ્યારે મંદીનો માહોલ આવે છે ત્યારે કેટલીક કંપનીઓ તેમને કાઢી મૂકે છે અથવા તો પગારમાં કાપ મૂકે છે. આ રત્ન કલાકારો પરિવારનો ભરણપોષણ કરી શકતા નથી જેથી તેઓ આપઘાત કરી લે છે.

રત્ન કલાકારો પર આર્થિક બોજો:હીરાનો પૂરતો સ્ટોક ન હોવાના કારણે ઉનાળાનું વેકેશન પણ લંબાવી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હીરા ઉધોગમાં ઉનાળાનું વેકેશન 10 થી 15 દિવસનું હોય છે પરંતુ આ વર્ષે ઉનાળુ વેકેશન એક મહિના સુધીનું આપવામાં આવ્યું હતું. આ સાથે હીરા ઉદ્યોગકારો દ્વારા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા હતા. જે રત્ન કલાકારો 9થી 10 કલાક પ્રતિદિન કામ કરતા હતા તેઓ રોજના માત્ર ચારથી પાંચ કલાક જ કામ કરતા જોવા મળ્યા હતા. જેને કારણે આર્થિક બોજો રત્ન કલાકારો પર જોવા મળ્યો હતો.

રત્ન કલાકારો થયા બેરોજગાર:બે જૂનના રોજ સુરતની એક મોટી ડાયમંડ કંપનીએ આશરે 40 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દીધા હતા. આ તમામ રત્ન કલાકારો 15 થી 20 વર્ષ થી નોકરી કરી રહ્યા હતા. સુરત સુમુલ ડેરી રોડ ખાતે આવેલી કાર્પ ડાયમંડ ઇમ્પેક્ટ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ખ્યાતનામ કંપની છે પરંતુ પોતાના 40 થી વધુ રત્ન કલાકારોને વગર કોઈ નોટીસ આપી તમામને છુટા કરી દીધા હતા. રત્ન કલાકારોને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક મહિનાથી રફ ડાયમંડ આવી રહ્યા નથી.

ઝેરી દવા પી આપઘાત:તારીખ 12 ફેબ્રુઆરીના રોજ કતારગામ વિસ્તાર ખાતે રહેતા 27 વર્ષે રત્ન કલાકાર મેહુલ દેવગણીયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. રત્ન કલાકાર મેહુલે એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા અને તે સૌરાષ્ટ્રના મહુવા તાલુકાનો વતની હતો. તેની ઉપર પરિવારનું ભરણ પોષણ કરવાનો ભાર હતો પરંતુ આર્થિક સંકળામણના કારણે તેને જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારે જણાવ્યું હતું કે પરિવારના જાણ બાર તેને લોન લીધી હતી. લોન ભરવા માટે બેંકમાંથી દસ દિવસથી ફોન આવી રહ્યા હતા.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત: તારીખ 2 માર્ચના રોજ સુરત શહેરના અમરોલી વિસ્તાર ખાતે રત્નકલાકાર અમિત સાવલિયાએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આપઘાત કરી લીધો હતો. સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા વાલક પાટીયા નજીક રહેતો હતો. આ ઘટના બાદ તેની પત્ની અને બાળકી નિરાધાર થઈ ગયા છે. અમિતે અનાજમાં નાખવાનો પાવડર ગટગટાવી જીવન ટૂંકાવ્યો હતો.

  1. Surat News: બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા મુશ્કેલી, દુબઈમાં પણ વેપારીઓને મુશ્કેલીઓ
  2. Lab Grown Diamonds of Surat: અમેરિકામાં ચમકી રહ્યો છે સુરતની લેબમાં તૈયાર 35 કેરેટનો લેબગ્રોન એમરાલ્ડ કટ ડાયમંડ
  3. Surat Mass Suicide Case: એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ એકસાથે કરી આત્મહત્યા, કારણ અકબંધ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details