- રહેણાક મિલકતમાં 50 ટકા અને બિન રહેણાક મિલકતોમાં 25 ટકા રાહતની માગ
- સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પાઠવવામાં આવ્યું આવેદન
- પાલિકા પ્રમુખને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
સુરત: બારડોલી નગરપાલિકામાં આગામી વર્ષ 2021-22ના વેરામાં રાહત આપવાની માગ સાથે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પ્રમુખને આવેદનપત્ર પાઠવાવમાં આવ્યું છે.
શહેરમાં મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ધંધા રોજગાર પર માઠી અસર થવાથી લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ છે. ખાસ કરીને બારડોલીમાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. બારડોલીથી માત્ર 33 કિમી દૂર આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા લોકોને 50 ટકા રહેણાક અને 25 ટકા બિન રહેણાક મિલકતોના વેરામાં રાહત આપવામાં આવી છે. આવી જ રાહત બારડોલી નગરપાલિકા દ્વારા પણ આપવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આ પણ વાંચોઃરાજકોટ મનપા દ્વારા વસુલાતા વેરામાં 50 ટકાની રાહત આપવા વિપક્ષની CMને રજૂઆત