- સુરતમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો
- સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નિર્ણય
- નિયત કરેલા સેન્ટરો પર રસી આપવામાં આવશે
સુરતઃબે મહિના બાદ સુરતમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 100 ની ઉપર પહોંચી છે. જે ચિંતાનો વિષય છે ત્યારે શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહીં રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કોરોના સંક્રમણ વધતાં બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપીલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
કોરોનાની વેક્સિનેસનનો પ્રારંભ