ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોરોનાના વધતા કેસ સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા અપીલ કરી - IPS Haresh Dudhat appeals to people

એક સમયે ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતાં અમદાવાદમાં સ્થિતિને કાબુમાં લેવા કેટલાક IPS અધિકારીઓની ટીમને ખાસ જવાબદારી આપવામાં આવી હતી. આજ અધિકારીઓ પૈકીના બે અધિકારીઓને ભયજનક સ્થિતિ તરફ જઈ રહેલા સુરતમાં વિશેષ જવાબદારી આપવામાં આવી છે. પહેલા સુરત શહેર અને જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓએ જવાબદારી મળતાની સાથે જ પોતાની કામગીરી શરૂ કરી કરી દીધી છે. લોકો સાથે બેઠક કરી કઈ રીતે કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોરોનાને કંટ્રોલ કરી શકાય છે, સાથે જ શું સાવધાની રાખી શકાય તે દિશામાં બન્ને અધિકારીઓ કામ કરી રહ્યા છે.

સુરતમાં વધતા કોરોના કેસના સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોને રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા કરી અપીલ
સુરતમાં વધતા કોરોના કેસના સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોને રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા કરી અપીલ

By

Published : Jul 17, 2020, 10:21 PM IST

સુરત: લોકડાઉન દરમિયાન અમદાવાદમાં સુપર સ્પ્રેડર વિસ્તારોમાં કોરોના વધુ ન ફેલાઈ તે માટે રાજ્ય સરકારે કેટલાક પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારી આપી હતી. ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના અધિકારીઓ પૈકી શમસેરસિંહ, હરેશ દુધાત, હેતલ પટેલ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જ્યારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે અને સુરતમાં કેસો વધ્યા છે ત્યારે ફરી આ અધિકારીઓને સુરત મોકલવામાં આવ્યા છે. રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમના ડીએસપી હરેશ દુધાત અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના હેતલ પટેલને સુરત મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બન્નેએ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવવામાં વિશેષ કામગીરી કરી હતી.

સુરતમાં વધતા કોરોના કેસના સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોને રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા કરી અપીલ
સુરતના વરાછા, પુણા સહિતના હાઈ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે, ત્યારે હરેશ દુધાત અને હેતલ પટેલે હાઈરિસ્ક વિસ્તારમાં લોકોને મળી ને કઈ રીતે કોરોનાની મહામારીથી બચી શકાય છે, તથા શું કરવું અને શું ન કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી શરૂ કરી છે.
સુરતમાં વધતા કોરોના કેસના સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોને રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા કરી અપીલ
હરેશ દુધાતે વરાછાના અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે બેઠક કરી હતી, દુધાતે જણાવ્યું હતું કે, તેમને લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા અને સેનેટાઇઝર ઉપયોગ કરવા પર ભાર મૂકી સમજાવ્યા હતા. ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો જરૂર વગર બહાર ન નીકળે અને ટોળે વળી ઉભા ન રહે તે જરૂરી છે, સાથે જ સરકાર અને તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું. તમેને કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ સમય ભજીયા કે ગાંઠિયા પાર્ટી કરવાનો નથી, જો તમારા ઘરમાં કોઈને કોરોના થશે અને તેમનું મૃત્યુ થશે તો તમે કોઈને મોઢું બતાવવાનો લાયક પણ નહીં રહો. મહત્વનુ છે કે, દુધાત ફૂટ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારમાં લોકને પ્રત્યક્ષ રીતે મળી તમામ બાબતો સમજાવે છે. તેમનો આ પ્રયોગ અમદાવાદમાં સફળ થયો હતો. જે હવે તેઓ સુરતમાં પણ અમલી બનાવી રહ્યા છે.બીજી તરફ હેતલ પટેલ પુણા વિસ્તારમાં આવેલા શંકર નગર ખાતે મુલાકાત લઈ લોકો સાથે ચર્ચા કરી હતી. તેમને પણ લોકોને આ મુશ્કેલીના સમયમાં તંત્રને સાથ આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details