સુરત : સુરતના પાસોદરા ગામે એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવતીની હત્યા (Surat Pasodra Murder Case) મામલે જાણવા મળ્યુ છે કે, યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. બન્ને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી મૃતક યુવતીના ઘરે પહોંચ્યા હતા. યુવતીના પરિવારને દીકરીને ટૂંક સમયમાં ન્યાય મળશેની ખાતરી આપી છે.
"જો કોઈ દીકરીઓને હેરાન કરતું હોય તો પોલીસને જણાવો"
ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (HM Harsh Sanghvi visit to Surat) જણાવ્યું હતું કે, રાજ્યમાં દીકરીઓની સુરક્ષા ગુજરાત પોલીસની જવાબદારી છે. આ કેસ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીશું, ઘરેલુ હિંસા માંથી બહાર આવવા લોકોને અપીલ કરું છું. જો કોઈ દીકરીઓને આવી હેરાન કરતા હોય તો માહિતી પોલીસને આપો. પોલીસ ઓળખ ગુપ્ત રાખશે, ઘરમાં શુ ચાલી રહ્યું છે એ જઈને જોવું એના કરતાં પોલીસના સહભાગી બનશે તો ક્રાઈમ ઘટશે. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ ઝડપથી આવી જાય, મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. તમામ પુરાવા ભેગા કરી આરોપીને દાખલા રૂપ સજા થાય એ પ્રયાસ પોલીસ કરી રહી છે. તેમજ આ મૃતક યુવતીનો પરિવાર જે પણ વકીલ કહેશેએ વકીલ કેસમાં રોકવામાં આવશે વકીલનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
મૃતક યુવતીના પરિવારજનોએ કરી મૃત્યુદંડની માંગ