અગ્નિકાંડમાં ભોગ બનનારી કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માગ કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. આ મુદ્દે સુરત પોલીસે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા, જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
સુરત અગ્નિકાંડની તપાસ મામલે પોલીસ કમિશ્નર રિપોર્ટ રજૂ કરે :હાઈકોર્ટ - Taxshila coaching centre
સુરત: સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના મુદ્દે તપાસ CID ક્રાઇમને સોંપવાની માંગ કરતી રિટ કરવામાં આવી છે. આ મુદ્દે જસ્ટીસ એસ. એચ. વોરાએ સુરત પોલીસ કમિશ્નર અને રાજ્ય સરકારને નોટીસ પાઠવીને શું પગલા લેવામાં આવ્યા છે તેનો પ્રોગેસિવ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 26મી જૂને હાથ ધરવામાં આવશે.

HC
અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યા ન હતા. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી. જવાબદાર લોકો વિરૂધ્ધ આકરા પગલા ના લેવાયા હોવાથી સુરત પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાંઈ પરિણામ ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી હતી.