ગુજરાત

gujarat

ETV Bharat / state

100 દિવસમાં જ 900થી વધારે બસ લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય - Surat gujarat st bus program

ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસ (Harsh Sanghvi Birthday Celebration) નિમિત્તે અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આજરોજ સુરતવાસીઓને શ્રીનાથદ્રારા તથા પાલીતાણા જતા યાત્રાળુઓ માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા એસી સ્લીપર કોચની બસ શરૂ કરવામાં આવી છે. જે બસોને આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી (Green flagged to surat nathdwara gujarat st bus ) આપી તેને પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

http://10.10.50.85:6060/reg-lowres/08-January-2023/gj-sur-sanghvi-harsh-gj10058_08012023120322_0801f_1673159602_881.mp4
100 દિવસમાં જ 900થી વધારે બસ લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય

By

Published : Jan 8, 2023, 6:33 PM IST

હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી

સુરત:ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ (Harsh Sanghvi Birthday Celebration) રાખવામાં આવ્યો હતો. જેમાં આજરોજ સુરતવાસીઓને શ્રીનાથદ્રારા તથા પાલીતાણા જતા યાત્રાળુઓ માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા એસી સ્લીપર કોચની બસ શરૂ કરવામાં આવી છે. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસ નિમિત્તે શહેરના અલગ અલગ સ્થળોએ અલગ અલગ રીતે તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સુરતવાસીઓને શ્રીનાથદ્રારા તથા પાલીતાણા જતા યાત્રાળુઓ માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા એસી સ્લીપર કોચની બસ શરૂ કરવામાં આવી છે.

હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી :આ બસોને આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી આપી (Green flagged to surat nathdwara gujarat st bus ) તેને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. સુરતથી શ્રીનાથદ્વારા જવા માટે બપોરના ૩.૦૦ વાગે ઉપડીને રાત્રે ૨.૨૦ વાગે પહોચશે.તથા પાલીતાણા માટે સાંજે ૬.૪૫ વાગે ઉપડીને રાત્રે ૩.૪૫ વાગે પહોચશે. જયારે શ્રીનાથદ્રારાથી સુરત આવવા માટે રાત્રે ૮.૦૦ વાગે તથા પાલીતાણાથી સુરત આવવા માટે રાત્રે ૭.૦૦ વાગે ઉપડશે. (Surat gujarat st bus program )

આ પણ વાંચો:માછલી પકડવાની નાયલોન દોરીને ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ

આ બસ ચાલુ કરવા માટે લોકો દ્વારા ખૂબ જ માંગ કરવામાં આવી હતીસુરત શહેરથી ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક સ્થળ જૈન સમાજનો સૌથી મોટુ આસ્થા નું કેન્દ્ર એવું પાલીતાણા એટલે સુરત થી પાલીતાણા એસી બસ ની આજથી શરૂઆત થવા જઈ રહી છે. એ સાથે સુરત થી શ્રીનાથદ્રારા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો શ્રીનાથદ્રારા દર્શન કરવા જતા હોય છે. આ બસ ચાલુ કરવા માટે લોકો દ્વારા ખૂબ જ માંગ કરવામાં આવી હતી. તેમની આ માંગને તાત્કાલિક સ્વીકારવામાં આવી છે.આનાથી બંને તીર્થ સ્થળો ઉપર જવા માટે સુરત વાસીઓનેવ્યાજબી દરે સ્લીપર એસી કોચ બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો:સિરીઝ પર કબ્જો મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ હોટલમાં કર્યું સેલિબ્રેશન

બીજી અનેક રૂટ પર બસ ચાલુ કરવાની વ્યવસ્થા: વધુમાં જણાવ્યુંકે, આજ પ્રકારે ગુજરાત એસટી વિભાગ દ્વારા બીજી અનેક રૂઠો ચાલુ કરવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. લોકોને ઉપયોગી થઈ શકે તે માટે રાજ્ય મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલા 100 દિવસમાં જ 900 થી વધારે બસ લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય કર્યો છે.આ 900 બસો નું કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે.અને ગુજરાતના ચારે ખૂણાઓમાં જે બસોના નવા કનેક્શન ની માંગ છે.તે તમામ ગામોગામ સુધી બસો પહોંચાડવાનું ગુજરાત સરકારનું સંકલ્પ છે. ગુજરાતના નાગરિકોને બધા જ પ્રકારના વ્યવસ્થાઓ મળી જાય જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details