સુરતઃશહેરમાં હરિધામ સોખડાના વિવાદ મામલે પ્રેમ સ્વામિના ભક્તોને મારી નાખવાની ધમકીઓ આપવામાં (Haridham Sokhada controversy)આવી છે. પ્રમોદ સ્વામી જૂથ હિંસાના માર્ગે જઈ રહી હોય એમ લાગી રહ્યું છે. કારણકે પ્રમોદ સ્વામીના ભક્તો દ્વારા જ પ્રેમ સ્વામિના ભક્તોના ઘરે ઘરે જઈ તેમને ધમકીઓ આપવામાં આવે છે જેને પ્રેમ સ્વામિના મોટી સંખ્યામાં એકઠા થઇ પોલીસ કમિશનરને(Surat Police Commissioner) આ અંગે રજુઆત કરી છે.
પ્રેમ સ્વામીજી જેઓ સ્વામીજીના સ્વધામ ગયા પછી સેવામાં આવ્યા -હું 29 વર્ષથી યોગીન દિવાઈન સોસાયટી સાથે સંકળાયેલો છું. હરિ પ્રસાદ સ્વામીએ મને અમ્રિસ કાર્યકર્તા તરીકે સેવા આપી છે. આ વિવાદમાં (Sokhada Haridham Temple )એવું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં હરિધામ સોખડાની અંદર હરિપ્રસાદ સ્વામી જેમણે પોતાની સેવા 2018ની અંદર આપીને ગયા હતા. એવા પ્રેમ સ્વામીજી જેઓ સ્વામીજીના સ્વધામ ગયા પછી સેવામાં આવ્યા છે. એના પછી પ્રમોદ સ્વામીજી એમાં એક જૂથ એવુ છે કે, ગુણાંનંદ સ્વામિના અવતાર પુરુષ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે. એ ગ્રુપ સતત વિવાદ કરી રહી હોય એમ લાગી રહ્યું છે.
પીડીએફ વાયરલ કરવામાં આવી -વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં વિવાદ એવીરીતે શરૂ થયું છે કે, અઠવાડિયા દસ દિવસ પહેલા એક પીડીએફ વાયરલ કરવામાં આવી. જેમાં હરીપ્રસાદ સ્વામીના દીક્ષા પામેલા એક સ્વામી છે તેમનાં વિશે ન લખવાનું હોય એવું લખવામાં આવ્યું. અમને એવું લાગી રહ્યું છે કે આ પીડીએફ એમનાજ કોઈ જૂથ દ્વારા લખવામાં આવ્યું છે. આવા વિવાદ વાળા ન લખવાનું હોય તેવું લખે તો ખરેખર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તપાસનો મુદ્દો હાથ ધરવામાં આવે પરંતુ આવું કશું જ કરવામાં આવ્યું નથી.