સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યમાં ચૂંટણી સભાને (Devendra Fadnavis visited Surat) સંબોધી રહ્યા છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તાર કે જ્યાં મરાઠી સમાજના લોકોની સંખ્યા સૌથી વધારે છે, ત્યાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી સભાને સંબોધિત કર્યા હતા. જ્યાં તેઓએ રાહુલ ગાંધીને વીર સાવરકર પર કરવામાં આવેલા ટિપ્પણી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. (Devendra Fadnavis sabha in Surat)
ચૂંટણીને મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુરતની મુલાકાતે વિકાસનો વિરોધ કર્યો સુરતના લિંબાયત વિસ્તારમાં આયોજિત ચૂંટણી સભામાં ભાજપની ઉમેદવાર સંગીતા પાટીલ માટે લોકો પાસે મતોની અપીલ કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસે મેઘા પાટકરે સાથે રાહુલ ગાંધી યાત્રા મામલે નિવેદન આપતા કહ્યું (Devendra Fadnavis attacked Rahul Gandhi) હતું કે, નર્મદા યોજનાનો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો. તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે. જ્યારે રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર દ્વારા કરવામાં આવેલા નિવદેન મામલે જણાવ્યું હતું કે, મૂર્ખ ભર્યા બયાન છે તેને કોઈ સાથે સરખવાય નહિ.
રાહુલ ગાંધી પર આકરા પ્રહારલોકોને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, ભારતને જોડવાનું કામ મોદી કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આજથી રંગ ભરાઈ ગયો છે. આ વખતે રેકોર્ટ તોડીને પરિણામ આવશે. ગુજરાતના લોકો ઘણા હોશિયાર છે. દેશમાં સૌથી પહેલા કોંગ્રેસનું વિસર્જન કરનાર ગુજરાતના લોકો છે. યુવરાજ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા કરતાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ ભારત જોડો યાત્રા નથી વિરોધી જોડો યાત્રા છે. કાશ્મીરમાં 370 હટાવી તિરંગો લહેરાવ્યો. કોંગ્રેસ માટે નહેરુ ગાંધી એટલે ભારત છે, ભારત જોડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ સરદાર પટેલ છે. (Deputy CM Maharashtra visit Surat)
રાહુલ ગાંધીને કોણ સ્ક્રિપ્ટ લખીને આપેરાહુલ ગાંધીને કોણ સ્ક્રિપ્ટ લખીને આપે છે. સાવરકર પર ટિપ્પણી કરે છે કોંગ્રેસે ક્યારે સરદાર પટેલને સન્માન નહીં આપ્યું. દેશની દશા કોઈ સુધારી શકે છે ગુજરાતના એક શેર PM મોદી છે. આપ લોકો માટે તમારું પરિવાર દેશ છે અને મોદી માટે આખું દેશ પરિવાર છે. એમને ક્યારે નેતાજી સુભાષચંદ્ર બોસને સમ્માન નહીં આપ્યું. ચૂંટણી ગુજરાતની છે પણ સમગ્ર દેશની નજર છે. (Gujarat Election 2022)
અમિત શાહ ચાણક્ય છેનામ લીધા વગર તેઓએ આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યપ્રધાન કેજરીવાલ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું હતું કે, સમગ્ર દેશના રાષ્ટ્રપતિ ઈચ્છે છે. મોદીને મળે એક ફોટો પાડે. પંજાબના લોકોએ મોકલો આપી હવે માથું પકડી બેઠા છે. ચૂંટણી બાદ દેખાતા નથી. દેશમાં મોદી પરિવર્તન લાવ્યા. ગુજરાતમાં ભાજપની સરકાર બનાવની છે. અમિત શાહ ચાણક્ય છે બહુમતથી સરકાર બનશે એમને કીધું છે, કારણ કે તેમને મહારાષ્ટ્ર શું કરી બતાવ્યું તમે જાણો છો. (Gujarat Assembly Election 2022)